બાળા સાહેબે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય કે હનુમાન ચાલીસા વાંચવા પર દેશદ્રોહ લાગશે, ફડણવીસ બગડ્યા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ
અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં રેલીને સંબોધિત કરી હતી. આ સંબોધન પહેલા તેમણે
બીજેપીના અન્ય નેતાઓ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. આ સાથે ફડણવીસે સીએમ
ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મંચ પરથી કહ્યું કે હવે હનુમાન
ચાલીસા શરૂ થઈ ગઈ છે. હવે લંકા ડહન થશે. સીએમ
ઉદ્ધવ ઠાકરેની રેલીનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું કે, ગઈકાલે ઉદ્ધવ ઠાકરેની સભા સોનિયા ગાંધીને સમર્પિત હતી. કોંગ્રેસ આરએસએસ માટે જે ભાષા બોલે છે તે ઉદ્ધવ
ઠાકરેની હતી. તેમણે આગળ BMC ચૂંટણીનો ઉલ્લેખ કરીને કહ્યું
કે હવે BMCની સત્તા પર ભાજપે ભગવો
લહેરાવવો પડશે. ખાસ વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસે પોતાના ભાષણની શરૂઆત ભોજપુરીમાં
કરી હતી. લોકોને ભાઈ-બહેન કહીને સંબોધિત કર્યા.
Maharashtra | They (Shiv Sena) had a rally yesterday which they called a master sabha but when we were listening to them, it was more like a laughter sabha... Yesterday, it was Kaurava sabha and today it is Pandav sabha: Former Maharashtra CM Devendra Fadnavis pic.twitter.com/KBufnvBD6u
— ANI (@ANI) May 15, 2022" title="" target="">javascript:nicTemp();
પૂર્વ સીએમ ફડણવીસે કહ્યું કે આપણા મુખ્યમંત્રી દેશના એવા સીએમ હશે જે ક્યારેય દેશ
માટે બોલ્યા ન હોય. 24 મહિનામાં 53 પ્રોપર્ટી તૈયાર થઈ, યશવંત યાદવે માતાને 50 લાખની ઘડિયાળ આપી. સંભાજી રાજેએ કહ્યું હતું કે જીવ ભલે જાય પણ હું
ધર્મ સાથે સમાધાન નહીં કરું. સાથે સાથે ફડણવીસે બાળા સાહેબ ઠાકરેનો પણ ઉલ્લેખ
કર્યો હતો. તેમણે કહ્યું કે શું ક્યારેય બાળા સાહેબ ઠાકરેએ વિચાર્યુ હશે કે
ઉદ્ધવના રાજમાં હનુમાન ચાલીસા વાંચવા પર દેશદ્રોહ લાગશે ?