ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધ વચ્ચે USA ના વિદેશ વિભાગનું મોટુું નિવેદન
- પહલગામ આતંકી હુમલા બાદ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાનું મોટું નિવેદન
- અમેરિકા ભારત અને પાકિસ્તાના સતત સંપર્કમાં છે
- વિદેશ મંત્રી કક્ષા સહિત અન્ય ડિપ્લોમેટીક ચેનલ્સ થકી વાટાઘાટો હાથ ધરવાના સંકેત
Pahalgam Terror Attack : કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા છે. આ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગનું (USA FOREIGN DEPARTMENT) મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, અમેરિકા તમામ પરિસ્થિતિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે, અને ભારત અને પાકિસ્તાન બંનેના સંપર્કમાં છે. વધુમાં જણાવ્યું કે, વિદેશ પ્રધાન માર્કો રુબિયો આજકાલમાં બંને દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરવાનું પ્લાનીંગ કરી રહ્યા છે.
પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા વિનંતી કરી
ટૈમી બ્રુસનું કહેવું છે કે, અમેરિકાની સરકાર ભારત અને પાકિસ્તાન બંનેની સરકારો સાથે સતત સંપર્કમાં છે. અમેરિકા ફક્ત વિદેશ મંત્રી સ્તરે જ નહીં પરંતુ અનેક રાજદ્વારી માધ્યમો થકી પણ વાત કરી રહ્યું છે. બ્રુસે વધુમાં જણાવ્યું કે, માર્કો રુબિયોએ બંને દેશોને પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા વિનંતી કરી છે અને તેઓ જલ્દી બંને દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરે તેવી આશા છે.
પીએમએ સેનાને છૂટ આપી
પહલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદીએ સેનાને કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણ અને સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમને સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અને સૈન્ય દ્વારા કરાતી કોઈપણ કાર્યવાહી માટે સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો --- આવનારા 24થી 36 કલાકમાં ભારત હુમલો કરશે : પાકિસ્તાન