Ganesh Gondal Case : ધારાસભ્યનાં પુત્ર ગણેશ ગોંડલને રાહત નહીં, હજુ પણ રહેવું પડશે જેલમાં, વાંચો વિગત
- ગણેશ ગોંડલની જામીન અરજી અંગે મોટા સમાચાર
- ગણેશ ગોંડલને હજુ પણ જેલમાં જ રહેવું પડશે
- ગણેશ ગોંડલના જામીન પર ચુકાદો હજુ અનામત
Ganesh Gondal Case : જુનાગઢમાં (Junagadh) દલિત સમાજનાં યુવાનનું અપહરણ કરી માર મારવાના આરોપ હેઠળ ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલની (Ganesh Gondal) જામીન અરજીને લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી ગણેશ ગોંડલને હજુ પણ જેલમાં રહેવું પડશે કારણ કે કોર્ટે જામીન પર ચુકાદો હાલ અનામત રાખ્યો છે. આ મામલે હવે આગામી સુનાવણી 27 ઓગસ્ટનાં તારીખે થશે.
Ganesh Gondal અંગે સૌથી મોટા સમાચાર, હજુ રહેવું પડશે જેલમાં! | Gujarat First Live https://t.co/PR0Fes4Tid
— Gujarat First (@GujaratFirst) August 23, 2024
આ પણ વાંચો - Tathya Patel Case : આરોપી તથ્ય પટેલને મળ્યા હંગામી જામીન, જાણો શું છે કારણ ?
ગઈકાલે બંને પક્ષે પોતાની દલીલો પૂર્ણ કરી હતી
ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં (Jayrajsinh Jadeja) પુત્ર ગણેશ જાડેજા (Ganesh Gondal Case) ઉર્ફે ગણેશ ગોંડલ સહિત 10 જેટલા લોકો સામે જુનાગઢમાં (Junagadh) દલિત સમાજનાં આગેવાન રાજુ સોલંકીના (Raju Solanki) પુત્ર સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને ઢોર માર મારવાનો આરોપ છે. આ કેસમાં ગણેશ ગોંડલ અને તેના સાગરિતો હાલ જેલમાં છે. ગણેશ ગોંડલે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પણ ગઈકાલે સુનાવણી થઈ હતી અને બંને પક્ષે પોતાની દલીલો પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો - VADODARA : પુત્રી પ્રેમી સાથે ગયા બાદ ટેન્શનમાં રહેતી માતાએ દવા ગટગટાવી
આગામી સુનાવણી 27 ઓગસ્ટના રોજ યોજાશે
જૂનાગઢ સેશન્સ કૉર્ટ (Junagadh Court) આ કેસમાં આજે ચુકાદો આપવાની હતી, જેના પર સૌ કોઈની નજર હતી. જો કે, કોર્ટે હાલ ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 27 ઓગસ્ટનાં રોજ હાથ ધરાશે. જણાવી દઈએ કે ગણેશ જાડેજા છેલ્લા બે માસથી જેલવાસ ભોગવે છે. જ્યારે ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી પણ ગુજસીટોક અંતર્ગત હાલ જેલમાં છે.
આ પણ વાંચો - Bail: ગણેશ ગોંડલની જામીન અરજી અંગે આજે ચુકાદો