Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Sampark Kranti Express ટ્રેનમાં બોમ્બની મળી ધમકી, મુસાફરોમાં ખળભળાટ

Bihar Sampark Kranti Express Bomb Threat : પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે મળીને Train નું સઘન ચેકિંગ
bihar sampark kranti express ટ્રેનમાં બોમ્બની મળી ધમકી  મુસાફરોમાં ખળભળાટ
Advertisement
  • પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે મળીને Train નું સઘન ચેકિંગ
  • Bomb blast ની અફવા ફેલાવી હલચલ મચાવી દીધી
  • મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી હતી

Bihar Sampark Kranti Express Bomb Threat : છેલ્લા કેટલાય દિવસોથી એરલાઇન્સ અને શાળાઓ સહિત વિવિધ સ્થળોએ બોમ્બના સમાચાર મળતા વહીવટીતંત્રની ઊંઘ ઊડી ગઈ છે. બોમ્બના સમાચારથી સામાન્ય લોકો પણ ડરી જાય છે. તો હવે ધમકી આપતા ગુનેગાર તત્વોએ રેલવેને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરનો મામલો Bihar Sampark Kranti Express સાથે જોડાયેલો છે. આ Train માં બોમ્બ હોવાની માહિતી મળી હતી, જેના કારણે Train માં બેઠેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે મળીને Train નું સઘન ચેકિંગ

ઉત્તર પ્રદેશના ગોંડામાં Train નંબર 12565 Bihar Sampark Kranti Express માં બોમ્બ હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની માહિતી મળ્યા બાદ આરપીએફ અને જીઆરપી પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે મળીને Train નું સઘન ચેકિંગ કર્યું હતું. જોકે, Train માં ચેકિંગ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. દોઢ કલાકના વિલંબ બાદ ફરી પાછી Train ને મુસાફરી માટે રવાના કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: કોણ છે સવજી ધોળકિયા, જેમના પુત્રના લગ્નમાં PM Modi એ હાજરી આપી ?

Advertisement

Bomb blast ની અફવા ફેલાવી હલચલ મચાવી દીધી

Bomb blast ની ખોટી ધમકી આપનાર આરોપીની મહારાષ્ટ્ર પોલીસે નાગપુરથી ધરપકડ કરી છે. આરોપીઓએ દેશભરમાં વિમાનોમાં Bomb blast ની અફવા ફેલાવી હલચલ મચાવી દીધી હતી. આરોપીનું નામ જગદીશ ઉઇકે છે જેણે કેન્દ્રીય મંત્રી સહિત દેશભરની એરલાઇન કંપનીઓને ઈમેલ મોકલીને Bomb blast ની અફવા ફેલાવી હતી. ઉઇકે ઈમેલ દ્વારા દિવાળી પહેલા 25 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે દેશમાં 30 સ્થળોએ Bomb blast કરવાની ધમકી આપી હતી. પોલીસે મોડી રાત્રે નાગપુરથી તેની ધરપકડ કરી હતી.

મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી હતી

દિવાળી પહેલા જ આતંકવાદી હુમલાની ધમકીએ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી હતી. દિવાળીના અવસર પર આતંકવાદીઓના નિશાના પર અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને તિરુપતિનું ઈસ્કોન હતું. પોલીસને ઈમેલ અને પત્રો દ્વારા મંદિરો પર આતંકવાદી હુમલાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દિવાળીના સમયગાળોનો લાભ લઈને આતંકવાદીઓનો સરાજાહેર ગોળીબાર, 2 ઘાયલ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં મુસ્લિમ આરક્ષણ પર રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન, કહ્યું- બદલાવ થઈ રહ્યો છે...

×

Live Tv

Trending News

.

×