Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : આજે અંબાજીની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના તમામ સભ્યો પણ રહેશે હાજર!

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) તીર્થધામ અંબાજીની (Ambaji) મુલાકાત છે. સાંજે સીએમ સાથે અનેક મંત્રી અને ધારાસભ્યો અંબીજા આવશે અને ગબ્બર પરિક્રમા સાથે અંબાજી મંદિરમાં દર્શન કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈ અંબાજી ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી...
ambaji   આજે અંબાજીની મુલાકાતે cm ભૂપેન્દ્ર પટેલ  વિધાનસભાના તમામ સભ્યો પણ રહેશે હાજર

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) તીર્થધામ અંબાજીની (Ambaji) મુલાકાત છે. સાંજે સીએમ સાથે અનેક મંત્રી અને ધારાસભ્યો અંબીજા આવશે અને ગબ્બર પરિક્રમા સાથે અંબાજી મંદિરમાં દર્શન કરશે. મુખ્યમંત્રીના આગમનને લઈ અંબાજી ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 51 શક્તિપીઠના તમામ મંદીરોમાં સીએમ સહિત ધારાસભ્ય દર્શન કરશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પણ હાજરી આપશે.

Advertisement

ગબ્બર પરિક્રમા મહોત્સવનો (Gabbar Parikrama Festival) આજે ચોથો દિવસ છે. ત્યારે આજે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત અનેક મંત્રીઓ અને ધારાસભ્યો મા અંબાના દર્શન કરવા માટે તીર્થધામ અંબાજી પહોંચવાના છે. અહીં સીએમ સહિત નેતાઓ ગબ્બર પરિક્રમા સાથે અંબાજી મંદિરમાં દર્શન કરશે. સાથે 51 શક્તિપીઠના તમામ મંદિરોમાં પણ દર્શન કરશે. માહિતી મુજબ, સીએમ ભૂપેન્દ્ર પટેલ ગબ્બર ખાતે આરતીમાં સામેલ થશે. હાલ અંબાજીમાં (Ambaji) ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને માઈભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પરિક્રમાના 3 દિવસ દરમિયાન અંદાજે 7 લાખ માઈભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે.

Advertisement

અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા

અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માના જણાવ્યા મુજબ, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ વિધાનસભાના તમામ સભ્યો મા અંબાના દર્શન કરવા માટે આજે તીર્થધામ પધારી રહ્યા છે. તેઓ દ્વારા 51 શક્તિપીઠની પરિક્રમા કરવામાં આવવાની છે. દરેક મંદિરમાં ધારાસભ્યો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગબ્બર ખાતે અખંડ જ્યોત છે ત્યાં મહાઆરતી કરશે. ત્યાર બાદ સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત વિધાનસભાના તમામ સભ્યો હાજરી આપશે. ત્યાર બાદ અંબાજી મંદિરના દર્શન કરશે. આ માટે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Devendra Desai : ખાદી જગતના દિગ્ગજ દેવેન્દ્રભાઈ દેસાઈનું 89 વર્ષની વયે નિધન

Tags :
Advertisement

.