Rescue: 10 બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવાયા
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ 10 બાળકોને રેસ્કયૂ કર્યા
- 10 બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવાયા
- રેસ્ક્યૂ કરાયેલા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવશે
- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશથી બાળકોનું પુનર્વસન કરાશે
Rescue: અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં બાળકો પાસે ભીખ મગાવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ 10 બાળકોને રેસ્કયૂ (Rescue)કર્યા છે. આ તમામ બાળકોને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશથી આ બાળકોનું પુનર્વસન કરવાની પ્રક્રિયા પણ શરુ કરાઇ છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ 10 બાળકોને રેસ્કયૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકો પાસેથી ભીખ મંગાવાના રેકેટનો ભંડાફોડ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ 10 બાળકોને રેસ્કયૂ કર્યા છે અને તેમને જીવનની નવી દિશા આપી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સતત પ્રયાસોના કારણે 10 બાળકોને ભીખ માંગવાના રેકેટમાંથી બચાવી લેવાયા છે.
Ahmedabad Crime Branch એ વધુ 10 બાળકોને રેસ્કયૂ કર્યા | Gujarat First@Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @GujaratPolice @AhmedabadPolice #ahmedabad #AhmedabadCrimeBranch #cmbhupendrapatel #CMO #HarshSanghavi #ChildRescue #EndChildLabor #SaveTheChildren #ChildProtection… pic.twitter.com/OaZtLrAWaC
— Gujarat First (@GujaratFirst) July 31, 2024
આ પણ વાંચો--- AHMEDABAD : અદાવતમાં રિક્ષા ચાલક બની ગયો અપરાધી, છરીના ઘા મારી કરી હત્યા
કસ્ટોડિયન અને વચેટિયા સામે કેસ નોંધવાની પ્રક્રિયા
બચાવેલા આ તમામ બાળકોને તબીબી તપાસ માટે દાખલ કરાયા છે. આ સાથે તેમના કસ્ટોડિયન અને વચેટિયા સામે કેસ નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશથી બચાવાયેલા આ બાળકોનું પુનર્વસન કરાશે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશથી બચાવાયેલા આ બાળકોનું પુનર્વસન કરાશે. રેસ્ક્યૂ કરાયેલા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવશે
આ પણ વાંચો----Theka Coffee ના કરોડપતિ માલિકની ઉંઘ હરામ કરનારને ક્રાઈમ બ્રાંચે ગોવાથી પકડ્યો