Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત-પાક મેચ પર IIT બાબાની ભવિષ્યવાણી, જાણો ટીમ ઈન્ડિયા જીતશે કે પછી મળશે હાર

મહાકુંભમાં ખૂબ ચર્ચામાં આવેલા IIT બાબાએ તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ અંગે એક સનસનીખેજ ભવિષ્યવાણી કરી છે, જેણે ચાહકોની ઉત્સુકતા અને વિવાદને હવા આપી છે.
ભારત પાક મેચ પર iit બાબાની ભવિષ્યવાણી  જાણો ટીમ ઈન્ડિયા જીતશે કે પછી મળશે હાર
Advertisement
  • IIT બાબાની ચોંકાવનારી આગાહી
  • ભારત-પાક મેચ પર બાબાનો દાવો
  • મહાકુંભના સ્ટારની ભવિષ્યવાણી
  • અભય સિંહનું રહસ્યમય નિવેદન
  • જીતશે કે હારશે ટીમ ઈન્ડિયા?
  • વાયરલ બાબાનો મોટો ખુલાસો
  • ભારત-પાક મેચની ભવિષ્યવાણી
  • IIT બાબાનું વિવાદાસ્પદ નિવેદન

IIT Baba Prediction On Ind-Pak Match : મહાકુંભમાં ખૂબ ચર્ચામાં આવેલા IIT બાબાએ તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ અંગે એક સનસનીખેજ ભવિષ્યવાણી કરી છે, જેણે ચાહકોની ઉત્સુકતા અને વિવાદને હવા આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઝડપથી ફેલાતા એક વીડિયોમાં બાબાએ ટીમ ઈન્ડિયાની જીત કે હાર વિશે આશ્ચર્યજનક દાવો કર્યો છે, જેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમની આગાહીએ લોકોમાં ઉત્તેજના અને આશંકા બંને જગાવી છે, જેણે આ ઐતિહાસિક મેચનું પરિણામ શું હશે તે જાણવા માટે બધાને આતુર કરી મૂક્યા છે.

IIT બાબા અભય સિંહની ચોંકાવનારી આગાહી

IIT બાબા તરીકે જાણીતા અભય સિંહે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મહત્વની મેચ અંગે એક ખળભળાટ મચાવે તેવી ભવિષ્યવાણી કરી છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે આ વખતે ભારતીય ટીમ જીત મેળવી શકશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે, “વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓને કહી દો કે તેઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી લે, પરંતુ આ વખતે જીત હાથ લાગશે નહીં, તમે ફક્ત પ્રયાસ કરીને બતાવો.” આ વિવાદાસ્પદ નિવેદનથી ક્રિકેટ ચાહકો ચોંકી ગયા છે, અને સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Advertisement

Advertisement

હવે જોવાનું કે ભગવાન મોટા કે તમે તે..?

IIT બાબાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત-પાકિસ્તાન મેચ અંગે એક ચોંકાવનારું નિવેદન આપતાં જાહેરમાં કહ્યું કે, “મેં કહી દીધું છે કે તેઓ જીતશે નહીં તો જીતશે નહીં જ, હવે જોવું એ રહ્યું કે ભગવાન મોટા છે કે તમે મોટા,” અને આટલું કહીને તેઓ જોરથી હસવા લાગ્યા. તેમની આ વાત સાંભળી પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “આ તો ભવિષ્યવાણી છે, પણ તમે લોકો મને એ જણાવો કે બાબાએ જે કહ્યું તે સાચું પડશે કે નહીં.” બાબાના આ સરાજાહેર કરેલા દાવાએ ચાહકોમાં ચિંતાને પૈદા કરી દીધી છે. જોકે, તેઓ આ વાતને સાચી માનવા તૈયાર પણ નથી.

IIT બાબા મહાકુંભથી વાયરલ થયેલા અભય સિંહની રહસ્યમય કથા

ભાગ્યે જ કોઈ એવું હશે જે IIT બાબા ઉર્ફે અભય સિંહને ઓળખતું ન હોય, પરંતુ જેઓ અજાણ છે તેમણે જાણવું જોઈએ કે પ્રયાગરાજના મહાકુંભે અનેક લોકોને સોશિયલ મીડિયાના સ્ટાર બનાવ્યા, જેમાંથી એક નામ આ બાબાનું પણ છે. સાદગીભર્યું જીવન જીવતા આ બાબાને હળવાશમાં ન લેવા, કારણ કે તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે અને એક વખતના તેમના કોડિંગના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હવે તેમણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ભારત-પાકિસ્તાન મેચ અંગે મોટી ભવિષ્યવાણી કરી છે, પરંતુ તે સાચી ઠરશે કે નહીં એનો જવાબ તો ભવિષ્યના ગર્ભમાં જ છુપાયેલો છે.

આ પણ વાંચો :  Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાની નવી જર્સી પર લખાયું 'Pakistan' નું નામ, જાણો કારણ

Tags :
Advertisement

.

×