Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ind Vs Aus Final : જેમ પાકિસ્તાનને હરાવ્યું...એમ જ ઓસ્ટ્રેલિયાનો હાલ કરશે ટીમ ઇન્ડિયા

હવે ગણતરીના કલાકો બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટાઈટલ માટે એકબીજા સાથે ટકરાશે. બંને ટીમો જોરદાર પ્રદર્શન કરીને અહીં સુધી પહોંચી છે અને છેલ્લી મેચમાં પણ જે પોતાની રમત અન્ય કરતા વધુ...
ind vs aus final   જેમ પાકિસ્તાનને હરાવ્યું   એમ જ ઓસ્ટ્રેલિયાનો હાલ કરશે ટીમ ઇન્ડિયા

હવે ગણતરીના કલાકો બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટાઈટલ માટે એકબીજા સાથે ટકરાશે. બંને ટીમો જોરદાર પ્રદર્શન કરીને અહીં સુધી પહોંચી છે અને છેલ્લી મેચમાં પણ જે પોતાની રમત અન્ય કરતા વધુ સારી રીતે રમશે તે જ જીતશે. જો કે, આમાં પરિસ્થિતિઓ પણ મોટી ભૂમિકા ભજવશે, જેમાં સૌથી મહત્વની છે અમદાવાદ સ્ટેડિયમની પીચ. આ પીચ કેવી હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે અને હવે તેનો ખુલાસો થયો છે.

Advertisement

ફાઈનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની 4 મેચ રમાઈ ચૂકી છે. આ ગ્રાઉન્ડ પર 5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પણ રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. આ પછી ભારત અને ઓસ્ટ્રેલિયાએ પણ અહીં એક-એક મેચ રમી હતી અને બંને ટીમોએ પોતાની મેચ જીતી હતી. બંનેની જીતની પદ્ધતિઓ અલગ-અલગ હતી. ટીમ ઈન્ડિયાએ અહીં પાકિસ્તાનનો સામનો કર્યો હતો અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ખૂબ જ સરળતાથી જીત મેળવી હતી.

Advertisement

હવે ફાઇનલમાં પણ ભારતીય ટીમ એ જ સ્ટાઈલ બતાવવા માંગશે જે તેણે પાકિસ્તાન સામે બતાવી હતી. આનું પણ એક કારણ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ એ જ પીચ પર રમાશે, જેના પર ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને માત્ર 191 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને 7 વિકેટે જીત મેળવી હતી. તે મેચમાં કુલદીપ યાદવની સ્પિન પાકિસ્તાને તબાહી મચાવી હતી.

Advertisement

…ઓસ્ટ્રેલિયા સાથે પણ આવું જ થશે!

જ્યાં સુધી પિચનો સંબંધ છે, તે ધીમી રહેવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં ભારતીય સ્પિનરો પણ ઓસ્ટ્રેલિયા સામે આવું જ કરી શકે છે. મળતી માહિતી મુજબ, શુક્રવાર અને શનિવારે આ કાળી માટીની પીચ પર ભારે રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સ્પષ્ટ સંકેત છે કે આ પીચ ધીમી હશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ પિચ ધીમી હશે. જોકે, રોહિતે કહ્યું કે પાકિસ્તાનની મેચની સરખામણીમાં હાલમાં પીચ પર ઘાસ દેખાઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે ભારતીય સ્પિનરો 14 ઓક્ટોબરના રોજ જેવો જ જાદુ પીચ પર ફેલાવવામાં સફળ રહેશે .

આ  પણ  વાંચો -વર્લ્ડ કપ 2023 ફાઇનલ પહેલા નૈના બા જાડેજાનું નિવેદન,જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.