BHARUCH : જિલ્લામાં આસો નવરાત્રિના સમાપને જવારાનું નર્મદાના નીરમાં વિસર્જન કરાયું
ભરૂચ જિલ્લામાં તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ જવારાનું માં નર્મદા નદીના નીરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગામના મંદિરોમાં સ્થાપિત 25 થી વધુ જવારાનું આજે પાંચ દેવી મંદિરે એકત્ર થયા બાદ નર્મદામાં વિસર્જન કરી આસો નવરાત્રીનું સમાપન કરાયું હતું.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા નવરાત્રીના 9 દિવસ માતાજીના જવારાનું પૂજન કર્યા બાદ દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આહિર સમાજ દ્વારા નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવી હતી. આરાધ્ય કુળદેવી માતાજીના જવારા આસો નવરાત્રીના પ્રથમ નોરતે વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવે છે.
જેનું ૯ દિવસ સુધી દરરોજ સવાર સાંજ પૂજન અર્ચન તથા આરતી કર્યા બાદ રાત્રે માતાજીના પટાંગણમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. દશેરાના દિવસે માતાજીના જવારા ધામધૂમથી ઢોલ નગારાના તાલે નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરોમાં પણ આસો નવરાત્રીમાં સ્થાપિત કરાયેલા જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરી આસો નવરાત્રીનું સમાપન કર્યું હતું.
આ પણ વાંચો -- ગોંડલના સ્વપ્નદ્ષ્ટા મહારાજા ભગવતસિહની ૧૫૮ મી જન્મજયંતિ ઉજવાઇ, વાંચો અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે