Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Union Budget 2024: બિહારે લૂંટ્યું બજેટ 2024! પ્રવાસન પેકેટ અને વિશેષ આર્થિક સહાય સાથે આટલા કરોડની ભેટ

Union Budget 2024: મોદી સરકાર 3.0 માં આ પહેલું પૂર્ણ બજેટ રજૂ થયું છે. 2024-25 ના બજેટમાં અનેક યોજનાઓને આવરી લેવામાં આવી છે. પરંતુ એકવાત ચોંકાવનારી સામે આવી છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાતો ચાલી રહીં હતી પરંતુ આ...
union budget 2024  બિહારે લૂંટ્યું બજેટ 2024  પ્રવાસન પેકેટ અને વિશેષ આર્થિક સહાય સાથે આટલા કરોડની ભેટ
Advertisement

Union Budget 2024: મોદી સરકાર 3.0 માં આ પહેલું પૂર્ણ બજેટ રજૂ થયું છે. 2024-25 ના બજેટમાં અનેક યોજનાઓને આવરી લેવામાં આવી છે. પરંતુ એકવાત ચોંકાવનારી સામે આવી છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાતો ચાલી રહીં હતી પરંતુ આ બજેટમાં એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બિહાર માટે બજેટમાં કેટલીસ ખાસ ઘોષણાઓ કરવામાં આવી છે, જેનાથી બિહાર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. બિહારને વિશેષ આર્થિક સહાયના પેકેજ ઉપરાંત 58 હજાર કરોડ રૂપિયાથી વધુનું ફંડ વિવિધ હેડ હેઠળ આપવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

રોડ બનાવવા માટે બજેટમાં રૂપિયા 26,000 કરોડની જોગવાઇ

નોંધનીય છે કે, પ્રથમ બજેટમાં બિહારની અંદર રોડ બનાવવા માટે રૂપિયા 26,000 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે પીરપાઇંટી પાવર પ્લાન્ટ માટે રૂપિયા 21,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પૂર વ્યવસ્થાપન માટે 11 હજાર 500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ બિહારમાં પ્રવાસન પેકેજ પણ આપવામાં આવ્યું છે.

Advertisement

પટનાથી પૂર્ણિયા સુધી એક્સપ્રેસ હોઈવે બનાવવામાં આવશે

બિહાર આ વખતે બજેટમાંથી મોટો ભાગ પડાવી ગયું તેમ કહેવામાં આવે તો પણ અતિશયોક્તી નથી. નાણાંમંત્રીએ કહ્યું કે, બિહારમાં પટનાથી પૂર્ણિયા સુધી એક્સપ્રેસ હોઈવે બનાવવામાં આવશે. જેનાં માટે આ બજેટમાં ફંડની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે અન્ય હાઈવે બનાવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે નાલંદા અને દરભંગા સહિત અનેક જિલ્લાઓને ફાયદો થવાનો છે. આ સાથે બક્સરમાં ગંગા નદી પર પૂલ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોસી ઇન્ટ્રા સ્ટેટ લિન્ક અને અન્ય 20 પ્રોજેક્ટનો ખર્ચ કરવામાં આવશે. કોસી નદીમાંથી પૂરનો સર્વે કરશે. 2024 -25 ના બજેટમાં બિહાર માટે ખજાનો લૂંટાવી દેવામાં આવ્યો છે.

Advertisement

નાલંદાને પ્રવાસન સ્થળ બનાવવામાં આવશે

બિહારને મળેલી સવલતોની વાત કરવામાં આવે તો, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગયાના વિષ્ણુપદ મંદિર અને બોધગયાના મહાબોધિ મંદિરમાં કાશી વિશ્વનાથની તર્જ પર કોરિડોર બનાવીને ધાર્મિક પ્રવાસન વિકસાવવાની જાહેરાત કરી હતી. આ સાથે સાથે નાલંદાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના માટે કેન્દ્ર સરકાર મદદ કરશે તેવું નિર્મલા સીતારમણે કહ્યું હતું. એટલું જ નહીં પરંતુ રાજગીર મંદિરનો વિકાસ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Health Budget 2024 માં કેન્સરના દર્દીઓ માટે ખાસ જોગવાઈ, નાણાંમંત્રીએ કરી મોટી જાહેરાત

આ પણ વાંચો: Budget 2024: મોદી સરકાર 3.0 ની આ 9 પ્રાથમિકતાઓ પર થશે વિકાસ, નાણાંમંત્રીએ કરી જાહેરાત

આ પણ વાંચો: Nirmala Sitharaman Budget Look: દરેક બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાડી હોય છે વિશેષ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

ગોલ્ડ સ્મગલિંગ કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી, રાન્યા રાવ જેલમાં જ રહેશે

featured-img
રાષ્ટ્રીય

Starlink India: ભારતમાં સ્ટારલિંક શરૂ કરવા મસ્કે માનવી પડશે સરકારની આ શરતો..!

featured-img
રાષ્ટ્રીય

Himachal Pradesh : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર હુમલો, બદમાશોએ કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ , હાલત ગંભીર

featured-img
ગુજરાત

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
રાષ્ટ્રીય

Bihar : ઝાડ પર લટકતી હતી પુત્રની લાશ, જોઈને પરિજનો ચોંકી ગયા, પોલીસને કહ્યું- સાહેબ, આ હત્યા છે

×

Live Tv

Trending News

.

×