Supreme Court : મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન કેમ ન મળ્યા? સુનાવણી દરમિયાન SC એ કહી આ વાત...
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. અગાઉ 17 ઓક્ટોબરે જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે કહ્યું કે એજન્સીએ માહિતી આપી છે કે 338 કરોડ રૂપિયાના મની ટ્રાન્સફરની લિંક સાબિત થઈ રહી છે. કૌભાંડને લગતા ઘણા પ્રશ્નોના જવાબો હજુ સુધી મળ્યા નથી, તેથી જામીન અરજી ફગાવી દેવામાં આવે છે. આ સાથે જ કોર્ટે તપાસ એજન્સીઓને નિર્દેશ આપ્યા છે કે 6 થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે. જો આ સમયગાળા દરમિયાન ટ્રાયલ પૂર્ણ નહીં થાય, તો સોસોદિયા ફરીથી જામીન માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે.
મનીષ સિસોદિયા 241 દિવસથી જેલમાં છે
તમને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. આ વર્ષે 26 ફેબ્રુઆરીએ CBI એ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી ED એ 9 માર્ચે તેની ધરપકડ કરી હતી. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સિસોદિયા 241 દિવસથી જેલમાં છે.
Supreme Court dismisses the bail plea of former Delhi Deputy CM Manish Sisodia in connection with cases related to alleged irregularities in the Delhi Excise Policy case. pic.twitter.com/3gAYUMGW9I
— ANI (@ANI) October 30, 2023
એજન્સી પાસે સિસોદિયા સંબંધિત પુરાવા નથીઃ સિંઘવી
મનીષ સિસોદિયાના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તપાસ એજન્સી પાસે આ સમગ્ર પ્રકરણમાં સિસોદિયા સાથે સીધા સંબંધિત કોઈ પુરાવા નથી. આ સાથે તેણે કહ્યું હતું કે આ કૌભાંડ સાથે સિસોદિયાનો કોઈ સંબંધ નથી તો પછી તેમને આરોપી કેમ બનાવવામાં આવ્યા છે. આના પર કોર્ટે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ક્યારેય કહ્યું નથી કે પૈસા તમારી પાસે આવ્યા છે, બલ્કે મનીષ સિસોદિયા તેમાં સામેલ છે અને તેના કહેવા પર કૌભાંડના પૈસા અહીં-ત્યાં ખસેડવામાં આવ્યા છે.
Supreme Court directs to conclude the trial in the case in six to eight months. SC says if the trial proceeds at a slow pace, Sisodia can apply for bail again at a later stage
— ANI (@ANI) October 30, 2023
સિસોદિયાની જામીન અરજી ક્યારે નકારી કાઢવામાં આવી?
3 જુલાઈના રોજ, દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેઓ PMLA હેઠળ જામીન આપવા માટેની બેવડી શરતો અને જામીન આપવા માટે ટ્રિપલ ટેસ્ટને સંતોષવામાં સક્ષમ નથી. અગાઉ, હાઈકોર્ટે તેમને આ જ કૌભાંડ સાથે સંબંધિત સીબીઆઈ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેમના પરના આરોપો ખૂબ ગંભીર છે. એપ્રિલમાં, વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે પુરાવાઓ આ ગુનામાં તેમની સંડોવણી વિશે ખૂબ જ સ્પષ્ટ છે.
આ પણ વાંચો : Train Accident : આંધ્રપ્રદેશ રેલ દુર્ઘટના બાદ 33 ટ્રેનો રદ, ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ, હેલ્પલાઈન નંબર જાહેર