Cyclone Dana : 500 થી વધુ ટ્રેનો રદ, 10 લાખ લોકો બેઘર; આ રાજ્યોમાં રેડ એલર્ટ
- તોફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોખમ
- ચક્રવાત દાના: ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે જોખમ!
- ચક્રવાત દાનાનો તોફાન: શાળા-કોલેજો બંધ, લાખો લોકોને ખસેડાયા
Cyclone Dana : બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાત 'Dana' બે રાજ્યો માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યું છે. આજની રાતથી આવતીકાલ સવાર સુધી, આ ચક્રવાત ઓડિશાના પુરી જિલ્લો અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપને અસર કરી શકે છે. આ સમયે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. સાથે જ ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી, બંને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શાળા-કોલેજો, કચેરીઓ બંધ
આફતથી રક્ષણ માટે, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમોને તૈનાત કરાઈ છે. આ ઉપરાંત, ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની ટીમોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી લેવામાં આવ્યા છે, જેથી લોકોની સુરક્ષા વધુમાં વધુ બની રહે. આ ચક્રવાતને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ માટે બંને રાજ્યોમાં શાળા-કોલેજો, આંગણવાડી, અને કચેરીઓ બંધ રહેશે. ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, ડોકટરો, પોલીસ કર્મચારીઓ અને CRPF સહિતના અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે, જેથી ઇમરજન્સીની સ્થિતિમાં કોઈ અડચણ ન આવે.
#WATCH | West Bengal: #CycloneDana is expected to make landfall over the Odisha-West Bengal coast, between October 24-25
(Visuals from Digha beach) pic.twitter.com/BM6ic3rONp
— ANI (@ANI) October 24, 2024
ઓડિશામાં તોફાન Dana ની અસર અને તૈયારીઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચક્રવાત Dana ની સૌથી વધારે અસર ઓડિશાના પુરીમાં થવાની શક્યતા છે. ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ જણાવ્યું કે ચક્રવાત પૂરીના દરિયાકાંઠે ટકરાશે, જેના કારણે શહેરને ખાલી કરાવવામાં આવ્યું છે. પૂરીના મંદિર બંધ કરવામાં આવ્યા છે અને 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગામી 4 દિવસ માટે હોટલનું બુકિંગ પણ રદ કરાયું છે. તાત્કાલિક પરિસ્થિતિઓમાં મદદ માટે NDRFની 20 ટીમો, ODRFની 51 ટીમો અને 178 ફાયર બ્રિગેડ ટીમો તૈનાત છે.
#WATCH | Odisha: Gusty winds and drizzling witnessed in Bhadrak's Dhamra as #CycloneDana is expected to make landfall over the Odisha-West Bengal coast, between October 24-25 pic.twitter.com/xtCk2epOdj
— ANI (@ANI) October 24, 2024
500 થી વધુ ટ્રેનો રદ
આ ચક્રવાત 14 જિલ્લાઓમાં ગંભીર અસર કરી શકે છે, જેને લઈને તમામ શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે. લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 500થી વધુ ટ્રેનો રદ કરાઈ છે. ઓડિશામાં 6000 રાહત શિબિરો પણ બનાવવામાં આવી છે, અને લોકો માટે હેલ્પલાઈન 1962 જારી કરવામાં આવી છે. આ સાથે જ ઓડિશા સિવિલ સર્વિસ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં અસર અને તકેદારી
ચક્રવાત દાનાની અસર પશ્ચિમ બંગાળના 8 જિલ્લાઓ પર પણ પડશે, જેના કારણે દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, પૂર્વા મેદિનીપુર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયો છે. 26 ઓક્ટોબર સુધી શાળા-કોલેજો બંધ રહેશે. NDRFની 85 ટીમો તાત્કાલિક સેવાને સુનિશ્ચિત કરવા તૈનાત કરવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ એલર્ટ મોડમાં છે, અને 24મી ઓક્ટોબરે સાંજથી 25મી ઓક્ટોબરના સવાર સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Cyclone Dana આજે રાત્રે ભારે તબાહી મચાવશે, પશ્ચિમ બંગાળમાં અસર શરુ