Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ સાંસદ Jaya Prada વિરુદ્ધ એકવાર ફરી બિનજામીનપાત્ર વોરંટ જારી

જયા પ્રદા વિરુદ્ધ નવી બિનજામીનપાત્ર વોરંટ કોર્ટમાં હાજર નહીં થવાને કારણે વોરંટ જારી MP-MLA કોર્ટમાં આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ થશે બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા (Former MP Jaya Prada) વિરુદ્ધ ફરી એકવાર બિનજામીનપાત્ર વોરંટ જારી...
પૂર્વ સાંસદ jaya prada વિરુદ્ધ એકવાર ફરી બિનજામીનપાત્ર વોરંટ જારી
Advertisement
  • જયા પ્રદા વિરુદ્ધ નવી બિનજામીનપાત્ર વોરંટ
  • કોર્ટમાં હાજર નહીં થવાને કારણે વોરંટ જારી
  • MP-MLA કોર્ટમાં આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ થશે

બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા (Former MP Jaya Prada) વિરુદ્ધ ફરી એકવાર બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ વોરંટ તેમના ઉપર છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા અભદ્ર ટિપ્પણી કેસ સાથે સંકળાયેલ છે. બુધવારે, જયા પ્રદા કોર્ટમાં હાજર ન રહી, જેના કારણે કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ (non-bailable warrant) જારી કર્યું છે. આ કેસ હાલમાં વિશેષ MP-MLA કોર્ટમાં ચાલી રહ્યો છે.

Advertisement

જયા પ્રદા વિરુદ્ધ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું

5 વર્ષ પહેલા અભિનેત્રી જયા પ્રદા પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ અહીં કેસ નોંધવામાં આવ્યો હતો. તેની સુનાવણી MP-MLAની વિશેષ અદાલતમાં ચાલી રહી છે. પીડિતા જયા પ્રદાનું નિવેદન કોર્ટમાં સાંભળવામાં આવનાર છે. સમન્સના આદેશ બાદ પણ જયા પ્રદા કોર્ટમાં હાજર નથી થઈ રહ્યા. કોર્ટની તારીખ પણ બુધવારે હતી. પરંતુ તે કોર્ટમાં હાજર ન થવાને કારણે કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ સાથે આ કેસમાં પોતાની તરફેણમાં જુબાની આપવા માટે ગત તારીખે પ્રત્યક્ષદર્શી તરીકે કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી. આ સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટ એમપી સિંહે અરજી ફગાવી દીધી હતી.

Advertisement

Advertisement

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મોહનલાલ વિશ્નોઈએ કહ્યું કે, જયા પ્રદાએ કોર્ટમાં હાજર થઈને અભદ્ર ટિપ્પણીના કેસમાં પોતાનું નિવેદન નોંધવું પડશે. પરંતુ કોર્ટમાં હાજર ન થવાના કારણે કોર્ટમાં નિવેદનો લેવાઈ રહ્યા નથી. આજે તે કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. વાદી પક્ષ વતી એડવોકેટ વૈભવ અગ્રવાલે કેસમાં પ્રત્યક્ષદર્શી સૈફુલ્લા ખાનના નિવેદન માટે અરજી આપી હતી. આ અંગેની ચર્ચા બાદ કોર્ટે આજે અરજી ફગાવી દીધી હતી. સમયનો બગાડ કરવા બદલ ફરિયાદીને રૂ.500નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એડવોકેટ અભિષેક ભટનાગરનું કહેવું છે કે કોર્ટમાં કેસની આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે.

આ કેસમાં આઝમ પણ દોષિત

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આઝમ ખાન સાંસદ બનવા બદલ મુરાદાબાદમાં એક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સપા નેતાઓ પર કાર્યક્રમમાં જયા પ્રદા પર અશ્લીલ ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. આઝમ ખાન, એસટી હસન સહિત 6 એસપી નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી MP-MLA સ્પેશિયલ કોર્ટ એમપી સિંહની કોર્ટમાં ચાલી રહી છે. પૂર્વ સાંસદ જયા પ્રદા 30 સપ્ટેમ્બરે મુરાદાબાદ જાય તેવી શક્યતા છે. કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

આ પણ વાંચો:  Stree 2 બોક્સ ઓફિસ પર હિટ, કમાણીમાં શાહરૂખની જવાનને આપી માત

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

featured-img
રાષ્ટ્રીય

Tirupati Temple: હિન્દુઓ સિવાય કોઇ નહી કરે કામ,ચંદ્રબાબુ નાયડુનું નિવેદન

Trending News

.

×