ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Indus Waters Treaty : ભારતે સિંધુ સમજૂતી પર લગાવી રોક, જાણો કેવી રીતે પાકિસ્તાન એક-એક પાણીનાં ટીપા માટે તરસશે!

Pakistan Indus Water Treaty: કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો...
09:51 PM Apr 23, 2025 IST | Hiren Dave
Pakistan Indus Water Treaty: કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો...
featuredImage featuredImage
Pahalgam Terror Attack

Pakistan Indus Water Treaty: કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાંની સાથે જ ત્યાંના લોકો પાણી માટે ટળવળશે.સિંધુ અને તેની ઉપનદીઓ ચાર દેશોમાંથી વહે છે. એટલું જ નહીં, 21 કરોડથી વધુ વસ્તીની પાણીની જરૂરિયાતોની પરિપૂર્ણતા આ નદીઓ પર આધારિત છે.

સિંધુ જળ સમજૂતી શું છે ?

નહેરુ અને અયુબ વચ્ચે કરાર થયા હતા

સપ્ટેમ્બર ૧૯૫૧માં, વિશ્વ બેંકના પ્રમુખ યુજેન રોબર્ટ બ્લેક મધ્યસ્થી કરવા સંમત થયા. આ બેઠકોનો સિલસિલો લગભગ 10 વર્ષ સુધી ચાલુ રહ્યો અને વર્ષોની વાટાઘાટો પછી, 19 સપ્ટેમ્બર 1960 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી અંગે એક કરાર થયો. તેને 1960 ની સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. આ સંધિ પર ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને રાવલપિંડીમાં હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ  વાંચો -Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલાને લઈ ભારત સરકારનો સૌથો મોટો નિર્ણય

સિંઘુ જળ સમજૂતી રદ થાય તો પાકિસ્તાનને શું થશે અસર ?

આઝાદી પછી પાણીનો વિવાદ વકર્યો હતો

1947 માં આઝાદી પછી પાણીનો વિવાદ શરૂ થયો હતો. 1948 માં ભારતે પાણી પુરવઠો બંધ કરી દીધો હતો, જેના કારણે પાકિસ્તાનમાં સમસ્યાઓ ઊભી થઈ હતી. ત્યારબાદ કરાર સાથે પાણી પુરવઠો શરૂ થયો. તે પછી, વર્ષ 1949 માં, એક અમેરિકન નિષ્ણાત ડેવિડ લિલિએન્થલે આ સમસ્યાને રાજકીય સ્તરથી લઈને ટેકનિકલ અને વ્યવસાયિક સ્તર સુધી ઉકેલવાની સલાહ આપી. લિલિએન્થલે વિશ્વ બેંક પાસેથી મદદ લેવાની પણ ભલામણ કરી હતી.

આ પણ  વાંચો -Pahalgam Attack: હુમલામાં ફસાયેલા પ્રોફેસરે આતંકીઓને એવું કહ્યું કે જીવતાં....

આ સંધિની શરતો 1961 થી અમલમાં આવી હતી

સંધિની શરતો 12  જાન્યુઆરી 1961  થી લાગુ કરવામાં આવી હતી. આ રીતે બંને દેશો વચ્ચેનો એક મોટો વિવાદ ઉકેલાઈ ગયો. આ સંધિ હેઠળ, ભારતથી પાકિસ્તાન તરફ વહેતી 6 નદીઓના પાણીનું વિતરણ નક્કી કરવામાં આવ્યું હતું. ભારતને 3 પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ અને સતલજ) ના પાણી પર સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો. બાકીની 3 પશ્ચિમી નદીઓ (જેલમ, ચિનાબ, સિંધુ) ના પાણીનો પ્રવાહ કોઈપણ અવરોધ વિના પાકિસ્તાનને આપવાનો હતો. પશ્ચિમી નદીઓના પાણીનો ભારતમાં ઉપયોગ કરી શકાય છે.

Tags :
India Suspends Indus Waters Treaty With PakistanIndus Waters Treatyjammu and kashmir policeLashkar-e-TaibaNIA Probepahalgam terror attackPakistan