CHIRAG PASWAN: 'BIHAR માં NDA ની સરકાર આવી રહી છે, તે ખુશીની વાત છે'
Chirag Paswan on NDA: હાલ, દેશમાં રાજકારણ ગરમાયું છે. તેનું મુખ્ય કારણ બિહાર અને નીતિશ કુમાર છે. કારણ કે.... નીતિશ કુમારે INDIA Alliance સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આ સમગ્ર ઘટના બાદ Lok Janshakti Party ના નેતા ચિરાગ પાસવાને નીતિશ કુમારના NDA માં સામેલ થવા પર પ્રતિક્રિયા આપી છે.
- ફરીથી સપથ ગ્રહણ પ્રક્રિયા અનિવાર્ય હતી
- CM નો નીતિવિરોધી હતો અને છે
- હું મારા PM સાથે ઉભો છું
ફરીથી સપથ ગ્રહણ પ્રક્રિયા અનિવાર્ય હતી
Chirag Paswan on NDA: આ ઘટના પણ ચિરાગ પાસવાને કહ્યું છે કે, આવનારા દિવસોમાં સરકારની ભૂમિકા રહેશે છે ? સરકાર કયા એજન્ડા પર કામ કરશે ? કોમન મિનિમમ પ્રોગ્રામ બને છે કે નહીં ? આ તમામ મુદ્દાઓ પર આગળ ચર્ચા કરવામાં આવશે. તે સાથે એ પણ જરૂરી હતું કે, વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રી પહેલા રાજીનામું આપે અને પછી ફરીથી શપથ ગ્રહણ કરે.
CM નો નીતિવિરોધી હતો અને છે
તેમણે વધુમાં કહ્યું કે હું NDA ના સહયોગી તરીકે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનો છું. અમારા માટે ખુશીની વાત છે કે બિહારમાં ફરી NDA સરકાર આવી રહી છે. આપણા PM Modi ની વિચારસરણી અને Vision Bihar First Bihari First નું અમારું વિઝન છે. મેં અગાઉ પણ ઘણી વખત કહ્યું છે કે મારો મુખ્ય પ્રધાન સામે નીતિવિરોધ હતો અને હજુ પણ છે... જો તેમની નીતિઓ પર કામ થશે તો ભવિષ્યમાં પણ આ વિરોધ ચાલુ રહેશે. મેં સ્વીકાર્યું છે કે તેમની નીતિઓને કારણે બિહારના લોકોનો વિકાસ થયો નથી.
હું મારા PM સાથે ઉભો છું
આવી સ્થિતિમાં જો BJP અને Lok Janshakti Party એ Bihar First Bihari First ના Vision ને NDA માં સામેલ કરવામાં આવશે. બિહારમાં એનડીએની સરકાર બની રહી છે. હું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉભો છું.
આ પણ વાંચો: LOKSABHA BIHAR : એક ડીલ અને 50 ટકાથી વધુ મતો પર BJP નો દાવ…વાંચો અહેવાલ