BIG BREAKING: કેન્દ્ર સરકાર કરાવશે જાતિ આધારિત વસ્તી ગણતરી!
- જાતિગત જનગણના કરાવશે મોદી સરકાર
- કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય
- મૂળ જનગણનામાં જ જ્ઞાતિનો ઉલ્લેખ કરાશે
- CCPAની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
PM Modi Cabinet: કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. પૂર્વ વડાપ્રધાન (PM ModiCabinet) મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે, તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે.
કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ
રાજકીય બાબતોની કેબિનેટ કમિટી સુપર કેબિનેટ તરીકે ઓળખાય છે. કારણકે, તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સામેલ છે.
આ પણ વાંચો - PM મોદીનો આગામી 9મે નો રશિયા પ્રવાસ મોકુફ રખાયો, જાણો કારણ
કેબિનેટ બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા?
અશ્વિની વૈષ્ણવે કહ્યું- કોંગ્રેસ સરકારોએ જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો છે, 1947 થી જાતિ વસ્તી ગણતરી કરવામાં આવી નથી. કોંગ્રેસે જાતિ વસ્તી ગણતરીને બદલે જાતિ સર્વેક્ષણ કરાવ્યું હતું. UPA સરકાર દરમિયાન ઘણા રાજ્યોએ રાજકીય દૃષ્ટિકોણથી જાતિ સર્વેક્ષણ કરાવ્યું છે. મૂળ વસ્તી ગણતરીમાં જ જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ થવો જોઈએ. પીએમ મોદીના નેતૃત્વ હેઠળની રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો -Pahalgam Terror Attack : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના પુનર્ગઠનથી અજિત ડોભાલ બનશે વધુ આક્રામક
'કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી
કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો પર બોલતા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'ખાંડની સીઝન 2025-26 માટે શેરડીનો વાજબી અને લાભદાયી ભાવ પ્રતિ ક્વિન્ટલ 355 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ બેન્ચમાર્ક કિંમત છે, જેનાથી નીચે તેને ખરીદી શકાતી નથી.'કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, કેબિનેટે ₹22,864 કરોડના ખર્ચે મેઘાલય અને આસામને જોડતા 166.8 કિમી લાંબા શિલોંગ-સિલચર ચાર-લેન કોરિડોર હાઇવેને મંજૂરી આપી છે.