જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલા બાદ Rajnath Singh નો મહત્વનો આદેશ
Rajnath Singh : જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે (16 જુલાઈ 2024) ના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી.
આર્મી ચીફને કડક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું
મળતી માહિતી મુજબ રાજનાથ સિંહે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી જોઈએ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આર્મી ચીફ પાસેથી ડોડામાં આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી લીધી હતી. આર્મી ચીફને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.
रक्षा मंत्री राजनाथ सिंह ने भारतीय सेना प्रमुख से बात की, जिन्होंने उन्हें जमीनी स्थिति और जम्मू-कश्मीर के डोडा में चल रहे ऑपरेशन के बारे में जानकारी दी: सूत्र pic.twitter.com/6TvcK3MFhk
— ANI_HindiNews (@AHindinews) July 16, 2024
સેનાના 4 જવાન શહીદ થયા છે
તમને જણાવી દઈએ કે જમ્મુના ડોડા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આતંકવાદીઓની માહિતી મળતાની સાથે જ સેના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા.
#WATCH जम्मू-कश्मीर: भारतीय सेना डोडा के जंगलों में तलाशी अभियान चलाने के लिए एक हेलीकॉप्टर का उपयोग कर रही है क्योंकि क्षेत्र में आतंकवादियों की तलाश जारी है।
डोडा में आतंकवादियों के साथ मुठभेड़ के दौरान एक अधिकारी सहित चार भारतीय सेना ने अपनी जान गंवाई है। pic.twitter.com/rmQfKJlS8H
— ANI_HindiNews (@AHindinews) July 16, 2024
રાત્રિના સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું હતું
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ રાત્રે લગભગ 2.45 વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આતંકવાદીઓની ગોળીઓથી અમારા જવાનો ઘાયલ થયા હતા.
આ હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી
સેનાના અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓ સાથે કામ કરવા માટે કોર્ડન મજબૂત કરવામાં આવ્યું છે. સૈનિકોને મજબૂત સમર્થન આપવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. દરમિયાન આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.
આ પણ વાંચો----- Jammu : શાંત રહેલા જમ્મુના હિન્દુ ગામો કેમ આતંકવાદી જૂથોના નિશાને…?
આ પણ વાંચો----- Jammu-Kashmir માં આતંકીઓ સાથે અથડામણમાં 4 જવાન શહીદ