Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharat Jodo Nyay Yatra in UP: આખરે ઈન્ડિયા ગઠબંધનની બે મુખ્ય પાર્ટીઓના નેતા આવ્યા એક સાથે

Bharat Jodo Nyay Yatra in UP: હવે, લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને લઈને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તો વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચારના બ્યુગલ પણ વગાડી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી (Congress) ના મુખ્ય નેતા રાહુલ ગાંધી...
07:07 PM Feb 25, 2024 IST | Aviraj Bagda
Finally the leaders of the two main parties of the India Alliance came together

Bharat Jodo Nyay Yatra in UP: હવે, લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને લઈને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તો વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચારના બ્યુગલ પણ વગાડી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી (Congress) ના મુખ્ય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા Bharat Jodo Nyay Yatra શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ Bharat Jodo Nyay Yatra માં વિવિધ નેતાઓ અને દેશના મહાનુભાવો જોડાઈ રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (SP Akhilesh Yadav) પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress Rahul Gandhi) ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માં જોડાવા માટે ઉત્તર પ્રદેશના આગ્રા પહોંચ્યા છે. તે ઉપરાંત ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માં તમામ સપાના નેતાઓ પણ જોડાવાની અટકળો ચાલી રહી છે. ત્યારે આજરોજ આગ્રામાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ બંને નેતાઓ પદયાત્રા કરશે.

સપા પાર્ટીના નેતા અખિલેશ યાદવે કોંગ્રેસના વખાણ કર્યા

સપા નેતા અખિલેશ યાદવ (SP Akhilesh Yadav) જણાવે છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશમાં પ્રેમની વાત કરે છે. ત્યારે આ શહેર સંપૂર્ણપણે પ્રેમનું શહેર છે. અમારી લડાઈ બંધારણ બચાવવા, ભાજપને હટાવવા અને દેશ બચાવવાની છે. અમારી લડાઈ ત્યારે જ સફળ થશે જ્યારે ઉત્તર પ્રદેશ (UP) માં ભાજપ (BJP) ને 80 સીટથી હરાવવામાં આવશે.

આજે દેશમાં નફરતનું બજાર ખુલ્લી ગયું છે

આ દરમિયાન કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે ભીડમાંથી એક છોકરો મારી પાસે આવ્યો અને કહ્યું કે હું જાણું છું કે તમે શું કરી રહ્યા છો. જ્યારે મેં પૂછ્યું કે હું શું કરું છું તો તેણે કહ્યું કે તમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલો છો. આજે દેશમાં નફરતનું બજાર ખુલ્લું છે. આ દેશમાં ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે, તેથી અમે અમારી યાત્રામાં અન્યાય શબ્દ પણ ઉમેર્યો. ત્યારે આ મુહિમમાં સપા નેતા પણ જોડાયા છે. આપણે બધા સાથે મળીને દેશના લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે લડી રહ્યા છીએ

આ પણ વાંચો: UP Factory Blast: યુપની કૌશામ્બીમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયો વિશાનકારી બ્લાસ્ટ, CM Yogi આવ્યા એક્શનમાં

Tags :
Akhilesh YadavBharat Jodo Nyay YatraBharat Jodo Nyay Yatra in UPBJPCongressGujaratFirstINDIA allainceMPNDArahul-gandhiSPUP
Next Article