Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 150 જેટલા મગરોનું સ્થળાંતર કરાશે

VADODARA : પ્રોજેક્ટનું કામ 15 ફેબ્રુઆરીની આસપાસ કામ શરૂ કરીએ તો જુન સુધીમાં કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે. - ચેરમેન
vadodara   વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 150 જેટલા મગરોનું સ્થળાંતર કરાશે
Advertisement

VADODARA : વડોદરા પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી (VADODARA - VISHWAMITRI RIVER) માં પૂર નિવારણ માટેના પગલાં ભરવા માટે તેને ઉંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હાથમાં લીધા બાદથી અનેક મગરોના મૃતદેહો વિશ્વામિત્રી નદીમાં મળી આવ્યા છે. જેના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષી લાગણી વ્યાપી જવા પામી છે. મગરના મૃત્યુ પાછળના કારણોને લઇને અનેક અટકળો છે. ત્યારે હવે દોઢસો જેટલા મગરને કામચલાઉ ધોરણે અન્યત્રે શિફ્ટ (VISHWAMITRI RIVER CROCODILE SHIFT - VADODARA) કરવાનું આયોજન છે. મગરને બે લોકેશન પર શિફ્ટ કરવામાં આવશે. જેના કારણે કોઇ અનિચ્છનિય ઘટના નહીં બને તેવું તંત્રનું માનવું છે.

મગર જોડે કોઇ પણ પ્રકારે ઘર્ષણ ના થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો

વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગર પરિવાર વસવાટ કરે છે. તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા માનવસર્જિત પૂરના કારણે ભારે તારાજી સર્જાઇ હતી. તે બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. દરમિયાન વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગર જોડે કોઇ પણ પ્રકારે ઘર્ષણ ના થાય તે માટે દોઢ સો જેટલા મગરોનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વનવિભાગના અધિકારીઓને સાથે રાખવામાં આવશે.

Advertisement

પાણી સાથેનું સ્પેશિયલ એન્ક્લોઝર બનાવાશે

વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ મીડિયાને જણાવ્યું કે, વન વિભાગના અધિકારીઓને સાથે રાખવામાં આવશે. મગર પકડવા માટે જે પિંજરાની જરૂરત પડે તેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. લગભગ 150 જેટલા મગરોને કમાટી બાગ અને સફારી ગાર્ડન ખાતે પાણી સાથેનું સ્પેશિયલ એન્ક્લોઝર બનાવીને તેમાં મુકવામાં આવશે. આ કામ 15 દિવસ જેટલા સમયમાં શરૂ કરવાનું આયોજન છે. 15 ફેબ્રુઆરી, 2025 ની આસપાસ કામ શરૂ કરીએ તો જુન - 2025 સુધીમાં કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : બોટકાંડની તપાસમાં બનાવટી દસ્તાવેજો રજુ કરનાર સામે FIRની માંગ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

featured-img
ગાંધીનગર

Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'

featured-img
ગાંધીનગર

Staff Nurse ની વિવાદિત આન્સર કીનો વિવાદ ઠર્યો નથી ત્યાં ફાઈનલ આન્સર કી જાહેર!

featured-img
ગાંધીનગર

Holi 2025 : કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે હોળી પર્વ નિમિત્તે નાગરિકોને કરી આ ખાસ અપીલ

×

Live Tv

Trending News

.

×