Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડોદરાના આંગણેથી પ્રયાગરાજની વિશેષ ટ્રેન દોડશે

VADODARA : વડોદરાથી કુંભ સ્પેશિયલ ટ્રેન  17, ફેબ્રુઆરીના રોજ સવારે વડોદરાથી ઉપડશે, જે 25 કલાકની મુસાફરી બાદ બીજા દિવસે પ્રયાગરાજ પહોંચશે.
vadodara   વડોદરાના આંગણેથી પ્રયાગરાજની વિશેષ ટ્રેન દોડશે
Advertisement

VADODARA : શહેરવાસીઓ વડોદરા (VADODARA) ના આંગણેથી સીધા જ પ્રયાગરાજના મહાકુંભ (PRAYAGRAJ MAHAKUMBH - 2025) માં જઇ શકે તે માટે વિશેષ ટ્રેન (SPECIAL TRAIN TO PRAYAGRAJ) દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુઁ છે. આ ટ્રેન 17 ફેબ્રુઆરીના રોજ દોડાવવામાં આવનાર છે. આ ટ્રેન 25 કલાકનું મુસાફરી બાદ મુસાફરોને સીધા જ પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ઉતારશે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે સ્લીપર, 3 ટાયર એસી, અને 2 ટાયર એસીનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

Advertisement

17, ફેબ્રુઆરીના રોજ સવારે વડોદરાથી ઉપડશે

144 વર્ષો બાદ પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસીક મહાકુંભમાં પવિત્ર ગંગાજીમાં શ્રદ્ધા-આસ્થાની ડુબકી મારવા માટે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાના નાગરિકો સીધા જ પ્રયાગરાજ જઇ શકે તેવી વ્યવસ્થા રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાથી કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આ ટ્રેન 17, ફેબ્રુઆરીના રોજ સવારે વડોદરાથી ઉપડશે, જે 25 કલાકની મુસાફરી બાદ પ્રયાગરાજ પહોંચશે.

Advertisement

સ્લીપર, 3 - ટાયર એસી અને 2 - ટાયર એસીમાં મુસાફરી કરી

આ ટ્રેનમાં સ્લીપર, 3 - ટાયર એસી અને 2 - ટાયર એસીમાં મુસાફરી કરી શકાય તેવા વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં મુસાફરી માટે સ્લીપરમાં રૂ, 710, 3 - ટાયર એસીમાં રૂ. 1,845 અને 2 - ટાયર એસીમાં રૂ. 2,550 ભાડુ ચુકવવું પડશે. આ ટ્રેનનુ એડવાન્સ બુકીંગ રેલવેની વેબસાઇટ પરથી કરી શકાય છે, તેવી માહિતી શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આપવામાં આવી છે.

આ પણ વાંચો --- VADODARA : ખોટા ઓર્ડરથી નોકરી મેળવનાર જેટકોના ત્રણ એન્જિનિયરોને પાણીચું

Tags :
Advertisement

.

×