Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : BJP કોર્પોરેટરે વિપક્ષની દરખાસ્તનું સમર્થન કરતા સન્નાટો

VADODARA : તમામ કોંગ્રેસના કોર્પોરેટરોએ હરણી બોટકાંડના પીડીત પરિવારને રૂ. 25 લાખનું વળતર આપવાની વાતને હાથ ઉંચો કરીને ટેકો આપ્યો હતો.
vadodara   bjp કોર્પોરેટરે વિપક્ષની દરખાસ્તનું સમર્થન કરતા સન્નાટો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના હરણી બોટ કાંડ મામલે કોંગ્રેસના કોર્પોરેટરોએ વળતર માટે પીડિત પરિવારોને રૂ. 25 લાખ ચૂકવવા માટેની દરખાસ્ત પાલિકાની બજેટ સમાં રજૂ કરી (HARNI BOAT ACCIDENT - VICTIM FAMILY COMPENSATION CONGRESS AGENDA - VMC VADODARA) હતી. જેમાં સત્તાપક્ષ આ મુદ્દો સ્વીકારવા તૈયાર ન થતા આ મામલે વોટીંગ કરાવવું પડ્યું હતું. જેમાં ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ પક્ષ વિરુદ્ધ જઈ કોંગ્રેસની દરખાસ્તને વોટીંગ દરમિયાન સમર્થન કર્યું (BJP CORPORATOR SUPPORT CONGRESS AGENDA IN VMC) હતું. જેને પગલે સૌ કોઇ વિચારતા થઇ ગયી હતા. અત્રે નોંધનીય છે કે, ભાજપના કોર્પોરેટર આશિષ જોષી શરૂઆતથી જ હરણી બોટકાંડમાં પીડિતા પરિવારોની પડખે ઉભા રહ્યા છે. આ વાતનું પુનરાવર્તન વધુ એક વખત સપાટી પર આવવા પામ્યું છે.

આજ દિન સુધી પાલિકા તરફથી કોઈ પણ પ્રકારનું વળતર જાહેર કરાયું નથી

તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકાની મળેલી બજેટ સભામાં અંતમાં કોંગ્રેસ દ્વારા રજૂ થયેલ વિવિધ દરખાસ્ત પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે હરણી બોટ કાંડ અંગેની એક અલગથી દરખાસ્ત આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, હરણી તળાવમાં કોર્પોરેશને પીપીપી ધોરણે ઇજારો આપ્યો હતો. તેમાં ઇજારદારે ક્ષમતા કરતા વધારે લોકો બેસાડતા ન્યુ સનરાઈઝ સ્કુલના 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 વ્યક્તિઓના મોત થયા હતા. આ ગોઝારી ઘટનામાં આજ દિન સુધી પાલિકા તરફથી કોઈ પણ પ્રકારનું વળતર જાહેર કરાયું નથી. ત્યારે પીડિત દરેક પરિવારના સભ્યોને રૂ. 25 લાખ મળવા જોઈએ તેવી દરખાસ્ત કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

Advertisement

સત્તાપક્ષના કોર્પોરેટરોએ એકજુથ થઇને દરખાસ્તને ફગાવી દીધી

પાલિકાની સભામાં ચર્ચા દરમિયાન કોઇ આ મામલે કોઇ સર્વસંમતિ સધાઈ ન્હતી. જેથી મેયર પિન્કીબેન સોનીએ આ મામવે વોટીંગ કરાવ્યું હતું.તમામ કોંગ્રેસના કોર્પોરેટરોએ હરણી બોટકાંડના પીડીત પરિવારને રૂ. 25 લાખનું વળતર આપવાની વાતને હાથ ઉંચો કરીને ટેકો આપ્યો હતો. આ વચ્ચે ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ પણ દરખાસ્તને સમર્થના આપતા વોટીંગ કર્યું હતું. જેને પહલે સભામાં સન્નાટો પથરાઇ ગયો હતો. જો કે, સત્તાપક્ષના કોર્પોરેટરોએ એકજુથ થઇને દરખાસ્તને ફગાવી દીધી હતી. પાલિકાના આ વખતના બોર્ડમાં પ્રથમ વખત ભાજપના કોર્પોરેટરે પાર્ટી લાઇનથી વિપરીત જઇને કોંગ્રેસની દરખાસ્ત તરફે વોટીંગ કર્યું હોવાનું સપાટી પર આવ્યું છે. જો કે, આશિષ જોષી પહેલાથી જ હરણી બોટકાંડમાં પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે લડત આપી રહ્યા છે. જેના કારણે તે કેટલાયના અળખામણા પણ બન્યા હોવાનો ગણગણાટ છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટને 100 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarati Top News : આજે 11 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
અમદાવાદ

Sabarmati Riverfront : મેદસ્વિતા મુક્ત ગુજરાતની દિશામાં યોગ શિબિરનું આયોજન

featured-img
ગુજરાત

Porbandar : મનપાએ વેરામાં બે ગણો વધારો કરી દેતા લોકોમાં ભારે રોષ, જાગૃત નાગરિકોએ રેલી કાઢી કર્યો વિરોધ

featured-img
રાજકોટ

Rajkot : રાજગઢ-ખાંડાધાર રોડ પર ગોઝારો અકસ્માત, બે યુવાનના કમકમાટીભર્યા મોત

featured-img
અમદાવાદ

Ahmedabad : યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ, કોર્ટે કહ્યું- દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું..!

featured-img
ગુજરાત

Gram Panchayat Election : મતદાન પહેલા અરવલ્લી-ભાવનગર જિલ્લામાં આ ગ્રા. પં. સમરસ બની

×

Live Tv

Trending News

.

×