Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SARANGPUR : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કષ્ટભંજન ભગવાનની શરણે

SARANGPUR : આજે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ દિવસ છે. સનાતન ધર્મમાં હનુમાન જયંતીનો ખુબ જ મહિમા છે. હિંદુઓ માટે શ્રીરામ સાથે સાથે હનુમાન પણ એટલા જ પૂજનીય છે. આ પાવન પ્રસંગે ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન જયંતી ભવ્ય ઉજવણી...
03:04 PM Apr 23, 2024 IST | Harsh Bhatt

SARANGPUR : આજે શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ દિવસ છે. સનાતન ધર્મમાં હનુમાન જયંતીનો ખુબ જ મહિમા છે. હિંદુઓ માટે શ્રીરામ સાથે સાથે હનુમાન પણ એટલા જ પૂજનીય છે. આ પાવન પ્રસંગે ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન જયંતી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહીં છે. અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતી ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

CM પહોંચ્યા કષ્ટભંજન ભગવાનની શરણે

હજારો ભક્તોની આસ્થાનું ધામ એવા સારંગપુરના ( SARANGPUR ) કષ્ટભંજન દેવ દર્શન અર્થે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે કષ્ટભંજન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આજના પાવન દિવસે ભાજપના અનેક રાજકીય નેતાઓ પણ  દાદાના આશીર્વાદ લેવા પહોચ્યા હતા. આજે હનુમાન જયંતિની સારંગપુર ખાતે ભવ્યતી અતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે, તેના સાક્ષી બનવા માટે હજારો ભાવી ભક્તોની હાર માળ આજે સાળંગપુર ખાતે ઉમટી પડી છે.

ડભોડા હનુમાનજીમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન

તમને જણાવી દઈએ કે, હનુમાન જયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી ઠેર ઠેર થઈ રહીં છે. ડભોડા હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. નોંધનીય છે કે, ડભોડા હનુમાનજીમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે રાજકોટમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહીં છે. નોંધનીય છે કે, રાજકોટના 4500 જેટલા મંદિરમાં ઉજવણી થઈ રહી છે. અહીં લોકોએ કેક કટિંગ કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે.

ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા જવામાં ભક્તો ઉમટ્યો

વધારે વાત કરવામાં આવે તો અમરેલીના સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા જવામાં ભક્તો ઉમટી પડ્યા છે. અમરેલીથી લાઠી વાયા ભુરખિયા હનુમાનજી મંદિરે જવાના રોડ પર ઠેરઠેર ખાણી પીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. હનુમાન જયંતિ નિમિત્તે લાઠી પાસે આવેલ ભુરખિયા હનુમાનજી મંદિરે પગપાળા માનવ મેદની ઉમટી છે. નોંધનીય છે કે, અમરેલીથી લાઠી વાયા ભુરખિયા રોડ પર પગપાળા યાત્રાળુઓનો પ્રવાહ પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ચૂંટણીટાણે જ જૂનાગઢમાં વધુ એક નેતાનો બફાટ! રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા

 

 

 

 

 

 

 

Tags :
#SarangpurAmreliBHAGVAN KASHTBHANJANBotadCelebrationCM Bhupendra PatelDabhodaDarshanFestivalhanuman jayantiHinduismTAMPLE
Next Article