Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jafarabad : સિંહના ટોળા ન હોય તે કહેવત પડી ખોટી, અહી એકસાથે 12 - 12 સિંહ લટાર મારતા નજરે ચડયા

સિંહના ટોળાના હોવાની કહેવત ફરી ખોટી પુરવાર ઠરી બૃહદ ગીરના ગણાતા વિસ્તારમાં 1 ડઝન સિંહનો વિડીયો થયો વાયરલ જાફરાબાદના બાબરકોટ માઈન્સ વિસ્તારમાં 12 સિંહના ટોળાનો વિડીયો આવ્યો સામે 3 સિંહણ અને 9 પાઠડા સિંહોનો ગમ્મત કરતો વિડીયો થયો વાયરલ...
jafarabad   સિંહના ટોળા ન હોય તે કહેવત પડી ખોટી  અહી એકસાથે 12   12 સિંહ લટાર મારતા નજરે ચડયા
Advertisement
  • સિંહના ટોળાના હોવાની કહેવત ફરી ખોટી પુરવાર ઠરી
  • બૃહદ ગીરના ગણાતા વિસ્તારમાં 1 ડઝન સિંહનો વિડીયો થયો વાયરલ
  • જાફરાબાદના બાબરકોટ માઈન્સ વિસ્તારમાં 12 સિંહના ટોળાનો વિડીયો આવ્યો સામે
  • 3 સિંહણ અને 9 પાઠડા સિંહોનો ગમ્મત કરતો વિડીયો થયો વાયરલ

Jafarabad : સિંહના ટોળા ન હોય તે કહેવત હવે ખોટી પુરવાર ઠરી હોય તેવું લાગી રહ્યું છે. હવે એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં સિંહનું ટોળું લટાર મારતું નજરે ચડ્યું છે. આ સિંહના ટોળામાં પણ ચાર-પાંચ નહીં પરંતુ એકસાથે 12-12 સિંહ જોવા મળી રહ્યા છે. આ વિડીયો અમરેલી જિલ્લાના જાફરાબાદ (Jafarabad) વિસ્તારમાંથી સામે આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

એક સાથે 12 સિંહો લટાર મારતા દેખાયા

Advertisement

જાફરાબાદના (Jafarabad) બાબરકોટ માઈન્સ વિસ્તારમાંથી 12 સિંહના ટોળાનો વિડીયો હવે સામે આવ્યો છે. આ વિડીયો જોઈને સૌ અચરજમાં મુકાયા છે, કારણ કે આ વિડીયોમાં એક - બે નહીં પરંતુ 12-12 સિંહ એક સાથે જોવા મળી રહ્યા છે. આ સિંહના ટોળામાં 3 સિંહણ અને 9 પાઠડા સિંહો દેખાઈ રહ્યા છે. વિડીયોમાં સિંહ એકબીજા સાથે ગમ્મત કરતા જોવા મળ્યા છે. હવે વિડીયો સામે આવ્યા બાદ વનવિભાગના તંત્ર સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.સિંહોની સુરક્ષાના બણગાં ફૂંકાતા વનવિભાગના કર્મીઓની ગેરહાજરી અહી વર્તાઇ હતી. એકસાથે આટલી સંખ્યામાં સિંહ લટાર મારે અને વનવિભાગના કર્મીને જાણ પણ ન હોય તે બાબત ઘણા પ્રશ્નો ઊભા કરે છે.

Advertisement

સિંહોની સુરક્ષા ઉપર ઉઠી રહ્યા છે પ્રશ્નો

વધુમાં અહી સિંહની સુરક્ષા ઉપર પણ અહી ઘણા પ્રશ્નો ઉઠે છે. 12-12 સિંહો એક ખાનગી કંપનીની માઈલ્સને પોતાનું રહેઠાણ બનાવે તે કેટલી હદે તેમના માટે સુરક્ષિત છે? માઈલ્સમાં 24 કલાક ખોદકામ ચાલતું હોય છે વધુમાં ત્યાં માણસોની અવર જવર પણ વધતા ઓછા પ્રમાણમાં રહેતી હોય છે. આ બધા પાસાઓ તે સ્થાનને સિંહ માટે ખૂબ જ અસુરક્ષિત બનાવે છે. હવે આ બાદ, સુરક્ષાના મુદ્દે નિયમો કડક હોવા છતાં વનવિભાગની ભૂમિકાઓ સામે પ્રશ્નો ઉઠવા એ તો સ્વાભાવિક છે.

આ પણ વાંચો : Rajkot TRP Gamezone : નકલી મિનિટસ બુકમાં સહી કરનારા 21 કર્મચારીઓની થશે પૂછપરછ

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : આવતીકાલે પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે, જાણો રૂટ

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : દુર્ઘટનાના 70 કલાક બાદ વિજયભાઈ રુપાણીનું DNA મેચ થયું , હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત

featured-img
રાજકોટ

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

featured-img
Top News

VADODARA : ભીમનાથ મહાદેવ મંદિર પરિસરની કુટિરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

featured-img
Top News

VADODARA : પ્લેન ક્રેશમાં હતભાગી વધુ એક મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે પહોંચ્યો

featured-img
રાજકોટ

Rajkot : એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં રુ.20નો વધારો, છેલ્લા 5 દિવસમાં કુલ 80 રુપિયા વધ્યા

×

Live Tv

Trending News

.

×