Rajkumar Jat Case, : રાત્રે મારા દીકરાને ગન પોઇન્ટ પર ઉઠાવી ગયા, ફોરેન્સિક રિપોર્ટ બાદ રાજકુમારનાં પિતાની ઓડિયો ક્લીપ વાયરલ
- ગોંડલ રાજકુમાર જાટના મોતનો કેસ
- ફોરેન્સિક રિપોર્ટ બાદ રાજકુમારનાં પિતાની ઓડિયો ક્લીય વાયરલ
- મારી અને મારા દીકરા સાથે મારપીટ થઈ છે:રતનલાલ જાટ
ગોંડલમાં રાજકુમાર જાટના પિતા દ્વારા વધુ એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ બાદ રાજકુમારનાં પિતાની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. રતનલાલ જાટે કહ્યું છે કે, હું શરુઆતથી કહેતો હતો કે મારી અને મારા દીકરા સાથે મારપીટ થઈ છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે મારપીટ થઈ હતી. તે બાબતે અધૂરા સીસીટીવી આપવામાં આવ્યા હતા. રાત્રે મારા દીકરાને ગન પોઈન્ટ પર ઉઠાવી ગયા હતા. હવે તો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી ગયો છે. રિપોર્ટમાં સ્પષ્ટ છે કે લાકડી વડે માર મારવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Bhavnagar: પાલીતાણામાં સ્કૂલ બસનાં ડ્રાઈવરે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ
ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં અલગ દાવો
ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે. તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા છે. જેમાં રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા છે. લાકડીથી માર માર્યા હોવાના 4-4 સેમીના ઇજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઇજાઓ અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ઉપજાવે છે. ફોરેન્સિક PMમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે. તથા બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે, તાજા હોવાનો ખુલાસો થયો
ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે, તાજા હોવાનો ખુલાસો થયો છે. આવા ઇજાના નિશાન અકસ્માતના કારણે ન થઇ શકે. આ ઇજા કોઇ બોથડ પદાર્થથી માર મરાયો હોય તો જ થાય. માથા અને ચહેરા પર ગંભીર ઇજાઓ થઇ છે ખોપરી ફાટી ગઇ છે, તેમાં 39 સે.મી લાંબી-ઊંડી ઇજાઓ પણ છે તથા આંખ, નાક, હોઠ અને ગાલ પર ભારે ઇજાના નિશાન છે. ગોંડલથી રાજકોટના તરઘડિયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાટ યુવાનના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના અકસ્માતની હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. તેમજ યુવાનનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે તેમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ GUJCET Exam 2025: આજે લેવાયેલ ગુજકેટની પરીક્ષા પૂર્ણ, ગણિતનાં પેપરે વિદ્યાર્થીઓની કસોટી કરી
શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના ત્રણ નિષ્ણાત ડોક્ટર પી.આર.વરૂ, એમ.એમ. ત્રાંગડિયા અને પી.જે.મણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઇજા ક્યા ક્યા થઇ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રથમ પાર્ટમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે જ્યારે બીજા પાર્ટમાં કુલ 31 મુદ્દામાં કેવી કેવી ઇજા થઇ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો આ રિપોર્ટ કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયાની સહી સાથે સોંપવામાં આવ્યો છે તે મળ્યા બાદ કેટલાક નિષ્ણાત તબીબો પાસે આ રિપોર્ટ શું કહેવા માગે છે તેનું અવલોકન કરાવવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં જે મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે.
આ પણ વાંચોઃ VADODARA : સોશિયલ મીડિયામાં હથિયારોનું પ્રદર્શન કરતી બુટલેગર આણી મંડળી