પરણિતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, પતિ સહિત સાસરીયા સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
ભરૂચના શ્રવણ ચોકડી બાજુની એક સોસાયટીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. મૃતકના પિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતા પોલીસે પતિ સહિત સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદી મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે મારી દીકરી ક્રિષ્નાના લગ્ન અમિત રાણા સાથે થયા હતા અને તેણીને તેના સાસુ સસરા તથા મામા સસરા અને નણંદ તથા તેનો પતિ તમામ ભેગા મળી ક્રિષ્નાને વારંવાર નાના નાના વાંકો કાઢી મેણા ટોણા મારી કામકાજમાં ભૂલ કાઢી લડાઈ ઝઘડો કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો..
ક્રિષ્નાએ પણ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે મૃતકની નણંદના લગ્ન થઈ ગયા બાદ પણ તે સતત પિયરમાં આવી મૃતકને હેરાનગતિ કરતા હોઇ અને દીકરી ક્રિષ્નાને ત્યાં સુધી ટોર્ચર કરી કે તેણે આપઘાત કરી લેવો પડ્યો જેના કારણે આવા સાસરિયાંઓ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માટે એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે
પોલીસે સાસરિયાઓમાં પતિ અમિતકુમાર રમેશભાઈ રાણા સાસુ ત્રિગુણાબેન રમેશભાઈ રાણા સસરા રમેશભાઈ રાણા મામા સસરા પરેશભાઈ રાણા નણંદ ભૂમિકાબેન રાણા તમામ રહે એ-૦૯ નીપન નગર સોસાયટી લિંક રોડ ભરૂચનાઓ સામે પોલીસે માનવ વધ અને ઘરેલુ હિંસા મુજબ ગુનો દાખલ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ સમગ્ર ઘટનામાં પાંચ વર્ષના માસુમ બાળકે પોતાની માતા ગુમાવી છે.