Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હરણી બોટકાંડના ત્રણ આરોપીઓની જામીન અરજી રદ્દ

VADODARA - HARNI BOAT ACCIDENT : વડોદરાના ગોઝારા હરણી બોટકાંડના ત્રણ આરોપીઓ દ્વારા અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેને સેશન્સ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ગતરોજ સુનણી હાથ ધરવામાં આવી...
vadodara   હરણી બોટકાંડના ત્રણ આરોપીઓની જામીન અરજી રદ્દ

VADODARA - HARNI BOAT ACCIDENT : વડોદરાના ગોઝારા હરણી બોટકાંડના ત્રણ આરોપીઓ દ્વારા અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેને સેશન્સ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ગતરોજ સુનણી હાથ ધરવામાં આવી હતી. આજરોજ તેના પર ચુકાદો જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

કોર્ટે રદ્દ કરી

વડોદરામાં જાન્યુઆરી માસમાં હરણી બોટકાંડ (VADODARA - HARNI BOAT ACCIDENT) ની ગોઝારી ઘટના બની હતી. તેમાં શાળાના બાળકો સહિત 14 લોકોના મૃત્યુ થયા હતા. આ મામાલે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચાર મહિલાઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વડોદરા કોર્ટ દ્વારા 10 જેટલા આરોપીઓના જામીન મંજુર કર્યા હતા. સમગ્ર મામલે હાલ મળતી માહિતી મુજબ તાજેતરમાં વડોદરાની સેશન્સ કોર્ટમાં હરણી બોટકાંડના ત્રણ આરોપીઓ દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેને કોર્ટે રદ્દ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુનાહિત સંડોવણી રેકોર્ડ પર

સમગ્ર મામલે એડવોકેટ હિતેષ ગુપ્તાએ જણાવ્યું કે, હરણી બોટકાંડના મુખ્ય આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ દ્વારા નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલી હતી (મુકી હતી). તેમાં પરેશ શાહ, વત્સલ શાહ અને શાંતિલાલ સોલંકી ત્રણેય દ્વારા રેગ્યૂલર જામીન અરજી સેશન્સ કોર્ટમાં ગુજારેલી હતી. જેની ગઇ કાલે સુનવણી કરવામાં આવી હતી. અને આજે હુકમ પર મુકવામાં આવી હતી. ગુનાની ગંભીરતા અને ત્રણેય આરોપીઓ દ્વારા ગુનામાં ભાગ ભજવ્યો છે, અને જે પ્રમાણેની ગુનાહિત સંડોવણી રેકોર્ડ પર આવેલી છે, તેને ધ્યાને લઇને નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આજરોજ જામીન અરજી રદ્દ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સમા કચેરી પહોંચ્યો મોરચો, લોકોનો એક જ સુર “જુના મીટર પાછા આપો”

Advertisement
Tags :
Advertisement

.