ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Surat Railway Station: ઉનાળામાં વેકેશનના માહોલને લઈ રેલવે મંત્રીએ નવી 6 ટ્રેન તુરંત દોડાવી...

Surat Railway Station: હાલ ઉનાળા વેકેશન (Summer Vacation) ની શરૂઆત થઈ ચૂકી છે. શહેરની શાળાઓમાં વેકેશન (Summer Vacation) જાહેર થતા ની સાથે વતન જવા માટે લોકોની ભારે ભીડ રેલવે સ્ટેશન (Railway Station) અને બસ સ્ટેશન (Bus Station) પર જોવા મળી...
05:34 PM Apr 14, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Surat Railway Station

Surat Railway Station: હાલ ઉનાળા વેકેશન (Summer Vacation) ની શરૂઆત થઈ ચૂકી છે. શહેરની શાળાઓમાં વેકેશન (Summer Vacation) જાહેર થતા ની સાથે વતન જવા માટે લોકોની ભારે ભીડ રેલવે સ્ટેશન (Railway Station) અને બસ સ્ટેશન (Bus Station) પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં જવા માટે લોકોનો રેલવે સ્ટેશન (Railway Station) પર રીતસરનો ઘસારો જોવા મળી રહ્યો છે.

આ પ્રકારની પરિસ્થિતિ આજે સુરતના ઉધના રેલવે સ્ટેશન (Railway Station) પર જોવા મળી હતી. જ્યાં યુપી, બિહાર સહિત અન્ય રાજ્યોમાં જવા માટે ટ્રેન (Railway Station) માં સંખ્યા કરતાં વધુ મુસાફરો ચઢવા જતા અફરાતફરી અને નાશભાગ મચી ગઈ હતી.કેટલાક લોકો બેભાન થઈ ઢળી પડતા રેલવે તંત્ર (Railway Station) દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રેલવે મંત્રીને 6 ટ્રેનની રજૂઆત કરાઈ

Surat Railway Station

આ ઘટનાની ગંભીર નોંધ ગુજરાત BJP પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના બેઠકના ઉમેદવાર C R Patil એ લીધી હતી. તેમણે તાત્કાલિક ધોરણે ઘટના બન્યા બાદ પોતાના કાર્યકર્તાઓને સ્ટેશ (Railway Station) ને પણ દોડાવ્યા હતા. તો બીજી તરફ રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવ જોડે તેઓએ ટેલિફોનિક વાતચીત કરી, નવી 6 ટ્રેન (Railway Station) ચાલુ કરવાની રજૂઆત કરી હતી.

તુરંત 6 ટ્રેન દોડાવવામાં આવી

ત્યારે રેલેવે મંત્રી તુરંત 6 નવી ટ્રેન (Railway Station) મુસાફરી માટે શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ નવી 6 ટ્રેન (Railway Station) બિહાર સહિત યુપી વિસ્તાર અને અન્જ રાજ્યો સુધી દોડાવવામાં આવશે. આ ઘટનાને લઈ BJP પ્રદેશ પ્રમુખ C R Patil એ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તે ઉપરાંત તેમણે મીડિયાના માધ્યમથી રેલવે સ્ટેશન (Railway Station) પર મુસાફરોને સાવધાની અને ઉતાવળ નહીં કરવાની વિનંતી કરી છે.

આ પણ વાંચો: VADODARA : બેકાર યુવક જોડે સગાઇ તોડી નાંખતા શરૂ થયા ધતિંગ

આ પણ વાંચો: BJP એ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

આ પણ વાંચો: BHARUCH: રીઢા ચોરોને માતાજીએ બનાવી દીધા પત્થર! વાંચો સંપૂર્ણ દંતકથા

Tags :
Ashwini VaishnavBiharBJPC.R.PatilGujaratGujarat RailwayGujaratFirstMPNationalRailway Ministryrailway stationSuratSurat Railway StationtrainUP