Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka : કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ, વિજ્ઞાન જાથાએ ખોલી દીધી પોલ

દ્વારકાના (Dwarka) કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ થયો છે. ગુરુગઢ ગામની (Gurugarh village) દરગાહમાં બે બાબા ધતિંગ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મંત્રેલા પાણી અને ભભૂતિથી બાબાઓ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હતા. લોકોનું દુઃખ-દર્દ દૂર કરવાના નામે બંને બાબા રૂપિયા પડાવતા...
dwarka   કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ  વિજ્ઞાન જાથાએ ખોલી દીધી પોલ
Advertisement

દ્વારકાના (Dwarka) કલ્યાણપુરમાં ધતિંગબાજ બાબાનો પર્દાફાશ થયો છે. ગુરુગઢ ગામની (Gurugarh village) દરગાહમાં બે બાબા ધતિંગ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મંત્રેલા પાણી અને ભભૂતિથી બાબાઓ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હતા. લોકોનું દુઃખ-દર્દ દૂર કરવાના નામે બંને બાબા રૂપિયા પડાવતા હતા. બંને ધતિંગબાજ બાબાની વિજ્ઞાન જાથાએ (Vigyan Jatha) પોલ ખોલી હતી. આ મામલે કલ્યાણપુર પોલીસે (Kalyanpur police) કાર્યવાહી કરી બંને ધતિંગબાજ બાબાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકાના (Dwarka) જિલ્લાના ક્લ્યાણપુર (Kalyanpur) તાલુકાના ગુરુગઢ ગામ નજીક એક દરગાહ આવેલી છે. આ દરગાહમાં (dargah) છેલ્લા 20-25 વર્ષથી બે ઢોંગી બાબા દ્વારા દોરા-ધાગા અને મંત્રેલા પાણી અને ભભૂતિ આપીને લોકોનું દુઃખ-દર્દ દૂર કરવાનાં નામે રૂપિયા પડાવવામાં આવતા હતા. જો કે, આ બંને બાબાની ધતિંગલીલા અંગે વિજ્ઞાન જાથાને જાણ થતા પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાન જાથા જયંત પંડ્યા (Jayant Pandya) દ્વારા જણાવ્યા અનુસાર, ગુરુગઢ ગામ નજીક આવેલી આ દરગાહમાં દર શુક્રવારે હાજીબાપુ અને બસીરબાપુ નામના શખ્સ લોકોને જોવાનો વારો રાખતા હતા અને દોરા-ધાગા, મંત્રેલા પાણી અને ભભૂતિ થકી દુઃખ-દર્દ દૂર કરવાના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા.

Advertisement

આરોપી હાજીબાપુ અને બસીરબાપુ

Advertisement

અંધશ્રદ્ધા નહિં ફેલાવવા આપી ખાતરી

પોલીસ તપાસ મુજબ, બંને ઢોંગી બાબા લોકોને પથરી, ડાયાબિટીસ (diabetes) અને અસાધ્ય રોગ મટાડવા માટે પાણીની એક બોટલમાં મંત્ર બોલીને ભભૂતી નાખીને મંત્રેલી પાણીની બોટલ લોકોને આપતા હતા અને તેનાથી સારું થશે તેવું કહીને રૂપિયા પડાવતા હતા. આ મામલો સામે આવતા પલીસે કાર્યવાહી કરી બંને ઢોંગી બાબાઓને ઝડપી લીધા છે. પોલીસ ગિરફ્તમાં આવ્યા બાદ ઢોંગી બાબાઓએ આજ પછી ક્યારેય દોરા-ધાગા તેમ જ મંત્રેલા પાણી નહિં આપીએ અને અંધશ્રદ્ધા નહિં ફેલાવીએ તેવા લખાણના બોર્ડ સાથે ખાતરી પણ આપી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. આ સાથે વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી હતી કે આવા કોઈ પણ લે-ભાગૂ અને ધતિંગબાજ, રૂપિયા પડાવનારા લોકોથી દૂર રહી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો મેડિકલ સારવાર લેવી અને લાઇસન્સવાળા તબીબની સલાહ, સારવાર લેવી જોઈએ. આવા ધતિંગબાજ લોકોથી બચીને રહેવું.

આ પણ વાંચો - Vipul Chaudhary: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો - VADODARA : PCB ની ટીમે પ્રોહીબીશનની બે રેડમાં રૂ. 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

આ પણ વાંચો - BJP leader Death : સુરતમાં સસ્પેન્ડેડ ASI એ છાતી અને પેટમાં મુક્કો મારતા BJP નેતાનું મોત!

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

AHMEDABAD PLANE CRASH : 1 વર્ષ પૂર્વે પુત્ર અને હવે માતા-પિતાનું પ્લેન ક્રેશમાં મોત

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash Incident : પહેલી વિદેશ યાત્રા બની અંતિમ સફર, હિંમતનગરની 22 વર્ષિય યુવતીની સપનાની ઉડાન અટકી

featured-img
વડોદરા

Ahmedabad Plane Crash : આણંદ જિલ્લાના સૌથી વધુ 33 મૃતકો પૈકી 3 લોકો સાંસદ મિતેષ પટેલના ગામના, સાંસદે આપી પ્રતિક્રિયા

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash: વિજય રૂપાણી પહેલા ગુજરાતના આ મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં થયું હતું મૃત્યુ

featured-img
Top News

AHMEDABAD PLANE CRASH : બહેન સાથેનો આખરી સંવાદ યાદ કરીને ભાઇના આંસુ સુકાતા નથી

featured-img
ગુજરાત

Ahmedabad plane crash: મોન્ટ્રીયલ કન્વેન્શન ટ્રીટી મુજબ એર ઇન્ડિયાએ દરેક મૃત મુસાફરના સંબંધીઓને 151,880 (SDR) ચૂકવવા પડશે

Trending News

.

×