Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર, હોળી સિવાય આખુ વર્ષ રહે છે બંધ

હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે.
વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર  હોળી સિવાય આખુ વર્ષ રહે છે બંધ
Advertisement
  • વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર
  • હોળી સિવાય આખુ વર્ષ મંદિર રહે છે બંધ
  • ભાભા રાણાએ મંદિરના ઓટલા પર જ સમાધી લીધી
  • હોળીના દિવસે લીધી હતી ભાભા રાણાએ સમાધી
  • ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા
  • ગોમતીપુરની પટવા શેરીમાં આવેલું છે મંદિર
  • ધૂળેટીના દિવસે શોભાયાત્રા નીકળે છે

Bhabha Rana Temple : હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે. આ સિવાય મંદિર આખુ વર્ષ બંધ રહે છે. હોળીના લોકદેવ ભાભારાણાએ હોળીના દિવસે મંદિરના ઓટલા પર જ સમાધી લીધી હતી. આથી દર વર્ષ હોળીના દિવસે જ તેમની ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ છે.

ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા

ગોમતીપુરની પટવા શેરીમાં લોકોને સંતાન સુખ અને કુંવારાને કન્યા આપતા ભાભા રાણાનું પૌરાણિક મંદિર આવેલું છે. 1 ટન ચીકણી માટીમાંથી ભાભા રાણાની મૂર્તિ બનાવવામાં આવે છે. પરંપરા મુજબ, ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે તળાવમાંથી ચીકણી માટી લાવીને ભાભા રાણાની મૂર્તિ બનાવે છે. મૂર્તિ પર સુંદર શણગાર કરવામાં આવે છે અને હોળીનો આખો દિવસ તેની પૂજા કરવામાં આવે છે. હોળી અને ધુળેટીના દિવસે લોકો દુરદુરથી અહીંયા દર્શન કરવા આવી પહોંચે છે. અને ધુળેટીના દિવસે ભાભા રાણાની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.

Advertisement

ભક્તોની ભારે ભીડ જામે છે

ભાભા રાણા સંતાન સુખ ના હોય એવા લોકોને મદદ કરતા હોવાની લોકવાયકા છે. લોકોને સંતાન સુખ ના હોય એમની મદદ કરતા હતા એવી લોકવાયકા હોવાથી લોકો તેમની માનતા રાખે છે અને બાધા પૂર્ણ થયા બાદ તેમને પારણું બંધાવે છે. આ ઉપરાંત જેમના બાળકને શારીરિક ખોડ ખાપણ હોય તે પણ ચાંદીના પગ ચડાવે છે. હોળી અને ધુળેટીના બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભાભા રાણાના દર્શન કરવા અને સંતાન ન થતું હોય તો તેમની માનતા માનવા આવે છે. માત્ર બે જ દિવસ દર્શન થતા હોવાથી ભક્તોની ભારે ભીડ અહીંયા જામે છે.

Advertisement

શામળ ભટ્ટની સિંહાસન બત્રીસી વાર્તામાં ભાભારાણાનો ઉલ્લેખ

ત્યારે અહીંયા લોકોનું પણ કેહવું છે કે આ મંદિર દાયકાઓથી અહીંયા છે. રાજા મહારાજા ના સમયકાળથી અહીંયા આ પ્રથા ચાલતી આવે છે જો ભાભારાણા ની વાત કરીઆએ તો ભાભા રાણા કણબી ખેડૂત હતા. શામળ ભટ્ટની સિંહાસન બત્રીસી વાર્તામાં ભાભારાણાનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ લગભગ 400 વર્ષ પહેલા વિક્રમ રાજાના સમયમાં ભગવાન થઇ ગયા હોવાનું કહેવામાં આવે છે. તેઓ લોકોનું વાંઝિયાપણું દૂર કરતા હોવાની લોકવાયકા અને વાર્તાઓ જોવા મળે છે. ત્યારે વહેલી સવારથી જ લોકોની ભારેભીડ મંદિર ખાતે જોવા મળી હતી.

અહેવાલ - માનસી પટેલ

આ પણ વાંચો :  BSF Holi Celebration : ભારત-પાક સીમા પર BSF જવાનોએ હોળીની કરી ઉજવણી

Tags :
Advertisement

Related News

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : સ્કૂલ એડમિનિસ્ટ્રેટરની ઐતિહાસીક 50 કિમીની સાયકલ રાઇડ પૂર્ણ

featured-img
ગુજરાત

VADODARA : હિટ એન્ડ રન કેસમાં આરોપીઓના રેપીડ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો

featured-img
ગુજરાત

Medical Checkup Camp :-ગુજરાત વિધાનસભા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ

featured-img
ગુજરાત

VADODARA : પરીક્ષા આપવા નીકળેલી યુવતિનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો

featured-img
રાજકોટ

Rajkot : 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ, 40 લોકો ફસાયા; રેસ્ક્યૂ ચાલુ

×

Live Tv

Trending News

.

×