Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરવાની AMCએ કરી સત્તાવાર જાહેરાત

Ahmedabad: ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જેને લઈને અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવ્યો છે.
ahmedabad  કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરવાની amcએ કરી સત્તાવાર જાહેરાત
Advertisement
  1. કાર્નિવલ અંગે AMCએ કરી સત્તાવાર જાહેરાત
  2. 31 ડિસેમ્બર સુધી યોજાનારો કાર્નિવલ સંપૂર્ણ રદ્દ
  3. પૂર્વ PM મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રીય શોક

Ahmedabad: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગઈ કાલે દુઃખદ અવસાન થયું. આવતીકાલે (શનિવાર) સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમની એક દીકરી વિદેશમાં છે અને તેના આગમન બાદ જ અંતિમ વિદાયની પ્રક્રિયા થશે. ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જેને લઈને અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: શાંત સ્વભાવ પાછળ એક કડક અને મજબૂત નેતાગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે Dr Manmohan Singh

Advertisement

ગઈ કાલે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જેમણે ગઈ કાલે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ શાંતિપ્રિય સ્વભાવ અને નમ્ર શૈલી માટે જાણીતા હતા. વય સંબિધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન તેમણે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા હતા. તેમના અવસાન સમયે તેઓ આશરે 15 કરોડ રૂપિયાની સંપત્તિ પાછળ છોડી ગયા છે.

આ પણ વાંચો: Cambridge-Oxford માં કર્યો અભ્યાસ, જાણો Dr. Manmohan Singh નાં પ્રેરણાદાયી જીવન અંગે

અર્થશાસ્ત્રી તરીકે ડૉ.મનમોહન સિંહે કોઈ પરિચયની જરૂર નથી

ભારતના સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાં જો કોઈનું નામ પહેલી હરોળમાં લેવાય તો તે છે ડૉ.મનમોહન સિંહ. અર્થશાસ્ત્રી તરીકે ડૉ.મનમોહન સિંહની પ્રતિભાને કોઈ પરિચયની જરૂર નથી. જેઓ અર્થશાસ્ત્રને જાણે છે તે લોકો જાણે જ છે કે ડૉ. મનમોહન સિંહ દેશના અર્થતંત્ર માટે કેટલા જરૂરી હતા. ભારત દેશને આર્થિક રીતે મજબૂત બનાવવામાં ડૉ.મનમોહન સિંહનો સિંહ ફાળો રહ્યો છે. તેમને ભારત દેશ સદીઓ સુધી યાદ રાખશે.

આ પણ વાંચો: Manmohan Singh:આર્થિક ઉદારીકરણથી લઈ આધાર કાર્ડ અને RTIમાં મહત્વની ભૂમિકા ભજવી !

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : ચાંદખેડામાં રાતે 10 લોકોનું ટોળું હથિયારો સાથે ઘરમા ઘૂસ્યું, તોડફોડ કરી, ધમકીઓ આપી

featured-img
રાષ્ટ્રીય

પપ્પા ડ્રમમાં છે,સૌરભના શરીરના 15 ટુકડા કરાયા હતા! 6 વર્ષની દીકરીએ જે કહ્યું..

featured-img
ગુજરાત

Gondal: પટેલ વોટ આપે પછી નોટ આપે ..., પાટીદાર યુવકને માર મારવા મામલે ભાજપનાં નેતાએ કર્યો કટાક્ષ

featured-img
રાષ્ટ્રીય

Bihar : રાષ્ટ્રગીત દરમિયાન CM નીતિશ કુમાર વાત કરતાં જોવા મળ્યા, વિપક્ષના આકાર પ્રહાર

featured-img
રાષ્ટ્રીય

Bikaner accident : પૂરઝડપે આવતી ટ્રક કાર પર પડી, એક જ પરિવારના 6 સભ્યોના મોત

featured-img
ગુજરાત

Sabarkantha : ગુજરાતનાં IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા, શેર બજારમાં મસમોટું કૌભાંડ કર્યું હોવાની આશંકા

×

Live Tv

Trending News

.

×