Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફોર્ડ યુનિયન પર હિન્દુ ફોબિયાનો લગાવ્યો આરોપ, જાણો શું છે કારણ

ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફર્ડ યુનિયન પર હિન્દુ ફોબિયાનો આરોપ લગાવ્યો છે. વિવેક અગ્નિહોત્રી ઓક્સફર્ડ યુનિયનના માનવતા કાર્યક્રમ યાત્રાને સંબોધવાના હતા પરંતુ તે કાર્યક્રમના નિર્ધારિત સમયના કલાકો પહેલા રદ કરવામાં આવ્યો હતો. જે અંગે વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફોર્ડ યુનિયન પર હિન્દુ ફોબિયાનો આરોપ લગાવ્યો હતો.વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્
વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફોર્ડ યુનિયન પર હિન્દુ ફોબિયાનો લગાવ્યો આરોપ  જાણો શું છે કારણ
ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફર્ડ યુનિયન પર હિન્દુ ફોબિયાનો આરોપ લગાવ્યો છે. વિવેક અગ્નિહોત્રી ઓક્સફર્ડ યુનિયનના માનવતા કાર્યક્રમ યાત્રાને સંબોધવાના હતા પરંતુ તે કાર્યક્રમના નિર્ધારિત સમયના કલાકો પહેલા રદ કરવામાં આવ્યો હતો. જે અંગે વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફોર્ડ યુનિયન પર હિન્દુ ફોબિયાનો આરોપ લગાવ્યો હતો.
વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વિડીયો શેર કરીને ઓક્સફર્ડ યુનિયનની ટીકા કરી હતી. આ સાથે તેમણે ટ્વીટમાં લખ્યું કે, હિન્દુ ફોબિક ઓક્સફર્ડ યુનિયનમાં વધુ એક હિન્દુ અવાજ પર અંકુશ લગાવવામાં આવ્યો છે. તેઓએ મને રદ કર્યો છે. હકીકતમાં તેઓએ હિન્દુ નરસંહાર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લઘુમતી એવા હિન્દુ વિદ્યાર્થીઓને રદ કર્યા છે. અહી અધ્યક્ષ પાકિસ્તાની છે. કૃપા કરીને શેર કરો અને આ સૌથી મુશ્કેલ લડતમાં મને ટેકો આપો. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, મારો કાર્યક્રમ થોડા કલાકો પહેલા કેન્સલ કરવામાં આવ્યો હતો. તેઓએ મને કહ્યું માફ કરશો, અમે ભૂલ કરી છે, ત્યાં ડબલ બુકિંગ હતું અને અમે આજે તમને હોસ્ટ કરી શકતા નથી. તેમજ તેઓએ મને પૂછ્યા વિના 1લી જુલાઈના કાર્યક્રમનું પુનઃનિશ્ચિત કરી દીધુ. 1 જુલાઈએ વિદ્યાર્થીઓ ન હોય ત્યારે ફરી કાર્યક્રમ કરવાનો કોઈ અર્થ નથી.
Advertisement

તેમણે આગળ કહ્યું કે, શું તે મને કેન્સલ કરી રહ્યા છે? તેઓ ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને, ખાસ કરીને નરેન્દ્ર મોદીને ઉથલાવી દેવા માંગે છે. તેઓ અમને ફાસીવાદી અને ઇસ્લામોફોબિક તરીકે લેબલ કરવા માંગે છે. જાણે હજારો કાશ્મીરી હિંદુઓની હત્યા એ હિંદુ ફોબિયા નથી, પરંતુ સત્ય પર બનેલી ફિલ્મ ઈસ્લામોફોબિક છે. તેઓ મને રદ કરી રહ્યા નથી, તેઓ નરસંહાર અને હિન્દુઓને રદ કરી રહ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હિન્દુઓ લઘુમતીમાં છે અને આ લઘુમતીઓ પર જુલમ છે.
Tags :
Advertisement

.