Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદયપુરના ASP સસ્પેન્ડ, કનૈયાલાલની હત્યા બાદ રાજસ્થાન સરકારે કરી કાર્યવાહી

રાજસ્થાન સરકારે શુક્રવારે ઉદયપુરના અધિક પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાને સસ્પેન્ડ કરી દીધા છે. ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલદાસ સ્ટ્રીટ પાસે 28 જૂને ટેલર કન્હૈયા લાલની જઘન્ય હત્યા બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું છે. આ પહેલા ઉદયપુરના એસપી મનોજ કુમારની પણ બદલી કરવામાં આવી હતી.ધમકીઓની ફરિયાદો હોવા છતાં રાજ્ય સરકાર પર કનૈયાલાલને સુરક્ષા ન આપવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ક
ઉદયપુરના
asp સસ્પેન્ડ  કનૈયાલાલની હત્યા બાદ રાજસ્થાન સરકારે કરી
કાર્યવાહી

રાજસ્થાન
સરકારે શુક્રવારે ઉદયપુરના અધિક પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાને સસ્પેન્ડ કરી
દીધા છે. ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલદાસ સ્ટ્રીટ પાસે 28 જૂને ટેલર
કન્હૈયા લાલની જઘન્ય હત્યા બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું છે. આ પહેલા ઉદયપુરના એસપી
મનોજ કુમારની પણ બદલી કરવામાં આવી હતી.
ધમકીઓની
ફરિયાદો હોવા છતાં

રાજ્ય સરકાર પર કનૈયાલાલને સુરક્ષા ન
આપવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કનૈયાના પરિવારજનોએ આ બાબતને મુખ્યમંત્રી
અશોક ગેહલોતની સામે મૂકી. એએસપી અશોક કુમારના સસ્પેન્ડ સમયગાળા દરમિયાન પોલીસ
મહાનિર્દેશક મુખ્યાલયમાં જ રહેશે.

Advertisement


Advertisement



Advertisement

તમને
જણાવી દઈએ કે નુપુર શર્માના સમર્થક દરજી કનૈયા લાલની એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા
પોસ્ટ માટે ગ્રાહક તરીકે આવેલા રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદ નામના બે લોકોએ મંગળવારે
તેની દુકાનમાં છરી વડે માથું કાપી હત્યા કરી દીધી હતી. જોકે
, ઘટનાના થોડા કલાકો બાદ જ બંને આરોપીઓની
રાજસમંદના ભીમા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 
હત્યા
પહેલા આરોપીએ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેણે ગુના
પછી બીજો વીડિયો બનાવ્યો જેમાં તેણે કબૂલાત કરી કે તેણે ઈસ્લામનું અપમાન કરવા બદલ
કનૈયા લાલનું માથું કાપી નાખ્યું હતું. આ ઘટના બાદ ઉદયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં
તણાવનો માહોલ છે.


ઉદયપુરના
IG અને SP સહિત 32 IPS
અધિકારીઓની બદલી

રાજસ્થાન
સરકારે ગુરુવારે મોડી રાત્રે ઉદયપુરના પોલીસ મહાનિરીક્ષક (
IG) અને પોલીસ અધિક્ષક સહિત ભારતીય પોલીસ
સેવા (
IPS) ના 32 અધિકારીઓની બદલીના આદેશો જારી
કર્યા હતા. કર્મચારી વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર
ઉદયપુર સહિત 10 જિલ્લાના પોલીસ
અધિક્ષકોની બદલી કરવામાં આવી છે. ઉદયપુરના પોલીસ મહાનિરીક્ષક હિંગલાજ દાનને પદ
પરથી હટાવીને માનવાધિકારની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ પ્રફુલ કુમારને
ઉદયપુરના પોલીસ મહાનિરીક્ષક બનાવવામાં આવ્યા છે. કુમાર અગાઉ એન્ટી ટેરરિસ્ટ
સ્ક્વોડ (
ATS)માં પોલીસ મહાનિરીક્ષક હતા.


ઉદયપુરના
પોલીસ અધિક્ષક મનોજ કુમારની કોટા
RAAC બટાલિયનમાં કમાન્ડન્ટ II તરીકે બદલી કરવામાં આવી છે. જામેરના પોલીસ અધિક્ષક વિકાસ કુમારને
ઉદયપુરના નવા પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા છે. જોધપુરના પોલીસ કમિશનર નવજ્યોતિ
ગોગોઈને પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ
, પોલીસ
એકેડમી
, જયપુર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કોટાના પોલીસ મહાનિરીક્ષક રવિદત્ત ગૌરને ગોગોઈના સ્થાને જોધપુરના નવા પોલીસ કમિશનર
બનાવવામાં આવ્યા છે. ભુવન ભૂષણ યાદવ
, નાયબ પોલીસ કમિશનર (પૂર્વ), જોધપુરને કમાન્ડન્ટ 9મી બટાલિયન આરએસી ટોંક તરીકે નિયુક્ત કરવામાં
આવ્યા છે.

 

Tags :
Advertisement

.