Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

8 વર્ષના પુત્રએ સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં કરી પોસ્ટ તો પિતાની કરી દીધી હત્યા

રાજસ્થાનના ઉદયપુર શહેરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારની માલદાસ સ્ટ્રીટમાં ત્રણ લોકોએ ધોળા દિવસે દુકાનમાં ઘુસીને એક યુવકની હત્યા કરી નાખી છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ધનમંડી અને ઘંટાઘર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને એમબી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો.Rajasthan | Locals protest after two men behead youth in broad daylight in Udaipur's Maldas stre
8 વર્ષના પુત્રએ સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં કરી પોસ્ટ તો પિતાની કરી દીધી હત્યા
રાજસ્થાનના ઉદયપુર શહેરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારની માલદાસ સ્ટ્રીટમાં ત્રણ લોકોએ ધોળા દિવસે દુકાનમાં ઘુસીને એક યુવકની હત્યા કરી નાખી છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ધનમંડી અને ઘંટાઘર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને એમબી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો.
Advertisement

મળતી માહિતી મુજબ મૃતક કન્હૈયાલાલના આઠ વર્ષના પુત્રએ પોતાના મોબાઈલથી નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પછી કેટલાક લોકો ગુસ્સે થયા અને ત્રણેય આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે યુવકની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ ઘટના બાદ હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા છે. ઉદયપુરમાં લોકો ગુસ્સે ભરાયા છે. અને પ્રદર્શન કરી રહ્યા છે. 
સીએમ ગેહલોતે શાંતિ જાળવવાની અપીલ કરી 
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના વિશે ટ્વિટ કર્યું અને કહ્યું કે હું ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ગુનાના તળિયે જશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરું છું. આવા જઘન્ય ગુનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિને સખત સજા કરવામાં આવશે.
Tags :
Advertisement

.