Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે આ ત્રણ Students..? જેમણે બાંગ્લાદેશમાંથી હસીનાને ભગાડ્યા...

નાહીદ ઇસ્લામ, આસિફ મહમૂદ અને અબુ બકર મજુમદારે આગેવાની લીધી ત્રણેય પર ભારે અત્યાચાર ગુજારાયો ત્રણેય વિદ્યાર્થી ઢાકા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરે છે Students : બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી Students નું અનામત વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું. જ્યારે શેખ હસીનાની...
કોણ છે આ ત્રણ students    જેમણે બાંગ્લાદેશમાંથી હસીનાને ભગાડ્યા
Advertisement
  • નાહીદ ઇસ્લામ, આસિફ મહમૂદ અને અબુ બકર મજુમદારે આગેવાની લીધી
  • ત્રણેય પર ભારે અત્યાચાર ગુજારાયો
  • ત્રણેય વિદ્યાર્થી ઢાકા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરે છે

Students : બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી Students નું અનામત વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું હતું. જ્યારે શેખ હસીનાની સરકારે આ ચળવળ સામે કડક પગલાં લીધા ત્યારે તે તેમને સત્તા પરથી હટાવવાના આંદોલનમાં ફેરવાઈ ગયું. અંતે સ્થિતિ એટલી બગડી કે 4 ઓગસ્ટે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભાગી ગયા. હાલમાં તે ભારતમાં છે અને અહીંથી તે બ્રિટન, ફિનલેન્ડ જેવા દેશમાં જવાનું વિચારી રહ્યા છે. દરમિયાન, દરેક વ્યક્તિ એ પણ જાણવા માંગે છે કે આટલું મોટું આંદોલન અચાનક કેવી રીતે ઉભું થયું અને તેની પાછળ કોણ હતું.

ત્રણેય વિદ્યાર્થીઓ ઢાકા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરે છે

જવાબ ત્રણ વિદ્યાર્થીઓ છે - નાહીદ ઇસ્લામ, આસિફ મહમૂદ અને અબુ બકર મજુમદાર. ત્રણેય વિદ્યાર્થીઓ ઢાકા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને અનામત વિરુદ્ધ આંદોલનના આગેવાનો હતા. એક સમાચાર મુજબ ત્રણેયનું 19 જુલાઈના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી તેમની આકરી પૂછપરછ કરવામાં આવી અને તેમને હેરાન પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 26 જુલાઈએ તેમને છોડી દેવાયા.ત્યાર પછી આ લોકોએ ફરી આંદોલનને આગળ વધાર્યું અને લગભગ 10 દિવસમાં બળવો થયો. હવે કમાન સેનાના હાથમાં છે. વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આ ત્રણ વિદ્યાર્થી નેતાઓની પણ મહત્વની ભૂમિકા છે.

Advertisement

આ પણ વાંચો----Plane : ...આજે અચાનક શેખ હસીનાનું વિમાન કઇ તરફ ઉડ્યું....?

Advertisement

કોણ છે નાહિદ ઇસ્લામ, જે આંદોલનનો ચહેરો બની ગયો છે?

ત્રણેયએ આજે ​​એક વિડીયો જાહેર કર્યો અને જાહેરાત કરી કે વચગાળાની સરકારના વડા ડો. યુનુસ હશે, જેઓ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી છે. ચળવળનો સૌથી મોટો ચહેરો નાહિદ ઇસ્લામ વિશે વાત કરીએ તો, તે ઢાકા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છે. તેઓ સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન મુવમેન્ટ નામની ચળવળના નેતા છે. SADMના બેનર હેઠળ વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે. આ અંતર્ગત બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભાગ લેનારા લોકોના પરિવારોને 30 ટકા આરક્ષણ આપવામાં આવે છે.

બાંગ્લાદેશમાં કેટલું અનામત છે

બાંગ્લાદેશમાં પ્રથમ અને બીજા વર્ગની નોકરીઓમાં કુલ 56 ટકા આરક્ષણ ઉપલબ્ધ છે. આ સિસ્ટમ ભેદભાવપૂર્ણ હોવાનું કહેવાય છે અને તેનો ઉપયોગ રાજકીય લાભ માટે થાય છે. નાહીદ ઈસ્લામના અન્ય સહયોગી આસિફ મહમૂદ ઢાકા યુનિવર્સિટીમાં ફિલોલોજીના વિદ્યાર્થી છે. અબુ બકર મજુમદાર પણ ઢાકા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહ્યા છે. તે ભૂગોળનો વિદ્યાર્થી છે અને બાંગ્લાદેશનો ઈતિહાસ બદલવામાં વ્યસ્ત છે. ચળવળમાં ભાગ લેવા બદલ અબુ બકરનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વિદ્યાર્થી નેતાઓની ઉંમર 25 વર્ષની આસપાસ છે.

આ પણ વાંચો----પિતા સહિત ફેમિલીના 17 સભ્યોની હત્યા અને Sheikh Hasina માટે ભારત બન્યું..

Tags :
Advertisement

Related News

featured-img
Top News

યુદ્ધગ્રસ્ત ઇરાનને US પ્રેસીડેન્ટ ટ્રમ્પની ચેતવણી, કહ્યું - 'અમારા પર હુમલો થયો તો...'

featured-img
video

Uttarakhand Helicopter Crash : ગમખ્વાર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતી સહિત 7ના મૃત્યુ

featured-img
video

Gujarat Police Exam : આજે ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા

featured-img
Top News

યુદ્ધગ્રસ્ત ઇરાનનું એર સ્પેસ બંધ થતા ભારતની બે એરલાયન્સે એલર્ટ જારી કર્યું

featured-img
Top News

Billionaires List: આ 80 વર્ષીય વ્યક્તિ અબજોપતિઓની યાદીમાં ચમક્યા, વિશ્વના બીજા સૌથી ધનિક બન્યા

featured-img
video

Ahmedabad Plane Crash : 275 મૃતકોને ગોંડલના યુવકની અનોખી શ્રદ્ધાંજલિ

×

Live Tv

Trending News

.

×