લખીમપુર ખેરીમાં બે સગી બહેનો સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, પોલીસનો મોટો ઘટસ્ફોટ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી (Lakhimpur Kheri) જિલ્લાના નિગાસન કોતવાલી ગામની બહાર એક ઝાડ પર બે દલિત બહેનોની લટકતી લાશ મળી આવતા વિસ્તારનું વાતાવરણ તંગ બન્યું છે. એક તરફ પોલીસ-પ્રશાસન પરિસ્થિતિને સંભાળવા સતત પ્રયાસ કરી રહ્યું છે ત્યારે રાજકારણ પણ તેજ બન્યું છે. આ ઘટના અંગે મૃતક બાળકીઓની માતાનો આરોપ ઘણો ગંભીર છે. તેમના શબ્દો સાંભળીને તમારો આત્મા કંપી ઉઠશે. આ કેસમાં પોલીસે 6 આરોપીઓને કસ્ટડીમાà
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી (Lakhimpur Kheri) જિલ્લાના નિગાસન કોતવાલી ગામની બહાર એક ઝાડ પર બે દલિત બહેનોની લટકતી લાશ મળી આવતા વિસ્તારનું વાતાવરણ તંગ બન્યું છે. એક તરફ પોલીસ-પ્રશાસન પરિસ્થિતિને સંભાળવા સતત પ્રયાસ કરી રહ્યું છે ત્યારે રાજકારણ પણ તેજ બન્યું છે. આ ઘટના અંગે મૃતક બાળકીઓની માતાનો આરોપ ઘણો ગંભીર છે. તેમના શબ્દો સાંભળીને તમારો આત્મા કંપી ઉઠશે. આ કેસમાં પોલીસે 6 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. બુધવારે મોડી રાત સુધી સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો.
લખીમપુર ખેરીના SP સંજીવ સુમને કહ્યું, “આ કેસ મહિલાઓ અને સમાજના નબળા વર્ગ વિરુદ્ધ છે. અમે પરિવારની ઈચ્છા મુજબ તમામ પગલાં ભર્યા છે. પરિવારના સભ્યો પોસ્ટમોર્ટમ હાઉસની અંદર છે. આ પ્રાથમિક તપાસ છે, 2-3 કલાકમાં પોસ્ટમોર્ટમ શરૂ થશે. 3 ડોકટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરી રહી છે. પ્રત્યક્ષદર્શીઓ અમારી સાથે છે. છોકરીઓને બળજબરીથી બાઇક પર લઈ જવામાં આવી ન હતી, પરંતુ તેઓ સ્વેચ્છાએ છોકરાઓ સાથે ગઈ હતી.
Advertisement
SPએ આગળ કહ્યું, 'છોટુ, જે એક હિંદુ છોકરો છે, તેણે આરોપી સાથે છોકરીની દોસ્તી કરાવી હતી પરંતુ તે સ્થળ પર નહોતો પરંતુ તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવતીઓને લાલચ આપીને બાઇક પર ખેતરમાં લઇ ગયો હતો. આરોપી સોહેલ અને જુનૈદે યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. છોટુએ જ આ ત્રણેય મહિલાઓનો પરિચય કરાવ્યો હતો. ગઇકાલે ત્રણેય છોકરાઓ ગામમાં આવ્યા હતા અને મહિલાઓને સાથે લઇ તેમની મરજી વિરૂદ્ધ જુનેદ અને સુહેલે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા જે બાદ યુવતીઓ લગ્ન માટે અડી ગઇ હતી. જેનાથી ગુસ્સે થઈને તેણે બંને મહિલાઓની હત્યા કરી નાખી.
આ મામલો આત્મહત્યાનો જણાતો હતો, જેથી મૃતદેહોને અન્ય જગ્યાએ ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા. આરોપી વિરુદ્ધ IPC 302, 376 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં પીડિત પરિવારનો પાડોશી છોટુ પુત્ર ચેતરામ ઉપરાંત તે જ ગામના લાલપુરના પાંચ છોકરાઓ, જેમાં જુનૈદ પુત્ર ઇઝરાયેલ, સુહેલ પુત્ર ઇસ્લામુદ્દીન, હફીઝુર રહેમાન, કરીમુદ્દીન, આરીફનો સમાવેશ થાય છે. જે ગામમાં લોકો રહે છે તે હિન્દુ પ્રભુત્વ ધરાવતું ગામ છે.