Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનમાં ખાવા માટે ફાંફા,ગરીબીનો દર 35.7 ટકા વધ્યો

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દેશના પ્રખ્યાત ઉર્દૂ અખબાર ઈન્તેખાબ ડેલીએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં ગરીબી દર 35.7 ટકા અને ખાદ્યપદાર્થોના ભાવમાં 20 થી 31 ટકાનો વધારો થયો છે. બીજી તરફ વૈશ્વિક ગરીબી સૂચકાંકની યાદીમાં આ દેશ 116 દેશોમાંથી 92માં સ્થાને પહોંચી ગયો છે.લોકો મૂળભૂત સુવિધાથી વંંચિત અખબારે સરકારને ફુગાવાને અંકુશમાં રાખવા માટે એક વ્યવસ્થા ગોઠવવાની à
05:38 AM Dec 22, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દેશના પ્રખ્યાત ઉર્દૂ અખબાર ઈન્તેખાબ ડેલીએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં ગરીબી દર 35.7 ટકા અને ખાદ્યપદાર્થોના ભાવમાં 20 થી 31 ટકાનો વધારો થયો છે. બીજી તરફ વૈશ્વિક ગરીબી સૂચકાંકની યાદીમાં આ દેશ 116 દેશોમાંથી 92માં સ્થાને પહોંચી ગયો છે.
લોકો મૂળભૂત સુવિધાથી વંંચિત 
અખબારે સરકારને ફુગાવાને અંકુશમાં રાખવા માટે એક વ્યવસ્થા ગોઠવવાની સલાહ આપી છે કારણ કે ફુગાવાએ વર્ષોથી ખાદ્ય સુરક્ષાને ગંભીર અસર કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશની ખાદ્ય સુરક્ષા પહેલાથી જ આતંકવાદી ગતિવિધિઓ, અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ અને ક્લાઈમેટ ચેન્જથી પ્રભાવિત છે. વધતી જતી મોંઘવારીએ આ સમસ્યાને વધુ વિકટ બનાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, ઝડપથી અને સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને તેમના ભોજન અને મૂળભૂત સુવિધાઓથી વંચિત કરી દીધા છે. 
વેપારી સમુદાયની હાલત કફોડી 
પાકિસ્તાનના અન્ય સ્થાનિક મીડિયા કવિશે જણાવ્યું કે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં વેપારી સમુદાય સત્તાવાળાઓને વિનંતી કરી રહ્યો છે કે તેઓ તેમના માલને કરાચી એરપોર્ટથી બહાર કાઢવા કોઈ યોજના બનાવે. બેંકોમાં ડોલરની અછતને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ડૉલરનો માહોલ દેશની સૌથી અવિશ્વસનીય સ્થિતિમાં પહોંચી ગયો છે. કરાચી બંદરમાંથી તેમનો માલ કેવી રીતે બહાર કાઢવો તે અંગે વેપારી સમુદાય ચિંતિત છે. નાણા મંત્રાલય આ સ્થિતિને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં 100 લોકોને મૃત્યુદંડની સજા
પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં આ વર્ષે કોર્ટ દ્વારા 100 થી વધુ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. મૃત્યુદંડની સજા પામેલા કેદીઓની કુલ સંખ્યા 450ને વટાવી ગઈ છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ પ્રાંતમાં છેલ્લા ચાર વર્ષમાં આતંકવાદના એકપણ આરોપીને ફાંસી આપવામાં આવી નથી. સ્થાનિક મીડિયા જસરત દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પંજાબ પ્રાંતમાં એક વર્ષમાં આતંકવાદની ત્રણ ઘટનાઓ બની છે, જ્યારે ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં 300 ઘટનાઓ બની છે, જેમાં ભારે જાનહાનિ થઈ છે.
આ પણ વાંચોઃ મશહુર’બિકીની કિલર’19 વર્ષ પછી જેલમાંથી બહાર આવશે: નેપાળ સુપ્રીમ કોર્ટનો આદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstincreasedPakistanPovertyrate
Next Article