Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનમાં જો અભ્યાસ કર્યો તો ભારતમાં નોકરી નહી મળે, જાણો કોણે કહ્યું

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશને ભારતીય વિદ્યાર્થીઓને કહ્યું છે કે પાકિસ્તાનની કોઇ પણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાંથી જો તમે શિક્ષણ મેળવ્યું તો ભારતમાં નોકરી કે વધુ શિક્ષણ પ્રાપ્ત નહીં કરી શકો. બંને સંસ્થાઓઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કે પાકિસ્તાનની કોઇ પણ કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ના મેળવે. પાકિસ્તાનની કોઇ સંસ્થામાંથી જ
06:59 AM Apr 23, 2022 IST | Vipul Pandya
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશને ભારતીય વિદ્યાર્થીઓને કહ્યું છે કે પાકિસ્તાનની કોઇ પણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાંથી જો તમે શિક્ષણ મેળવ્યું તો ભારતમાં નોકરી કે વધુ શિક્ષણ પ્રાપ્ત નહીં કરી શકો. 
બંને સંસ્થાઓઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કે પાકિસ્તાનની કોઇ પણ કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ના મેળવે. પાકિસ્તાનની કોઇ સંસ્થામાંથી જો શિક્ષણ મેળવ્યું તો ભારતમાં નોકરી કે વધુ શિક્ષણ નહી મેળવી શકાય. વિદ્યાર્થીઓ માટે જારી કરાયેલી એડવાઇઝરીમાં કહેવાયુ છે કે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે પાકિસ્તાન ના જાય. પાકિસ્તાનની કોઇ કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં કોઇ પણ ભારતીય નાગરીક અથવા ભારતીય મૂલનો વિદેશ નાગરીક પ્રવેશ લેવા ઇચ્છતો હોય તો તે પાકિસ્તાનના પ્રમાણપત્રના આધાર પર ભારતમાં નોકરી કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નહી કરી શકે. 
યુજીસી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે જે લોકો પાકિસ્તાનથી આવ્યા છે, તેમને આ નિયમ લાગુ નહી પડે. પાકિસ્તાનથી આવેલા પ્રવાસીઓ અને તેમના બાળકો કે જેમને ભારતે નાગરીકતા આપી છે તે ગૃહ મંત્રાલયની મંજૂરી પછી ભારતમાં નોકરી મેળવી શકે છે. 
ઉલ્લેખનિય છે કે આ પહેલાં પણ યુજીસી અને એઆઇસીટીઇ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચીનની શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભમાં  પણ આ જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી હતી. હવે બંને સંસ્થાઓએ પાકિસ્તાન માટે આ એડવાઇઝરી જાહેર કરી છે. 
Tags :
AICTEGujaratFirstIndiaPakistanugc
Next Article