શું 30 ટકા ટેક્સ બાદ ક્રિપ્ટોકરન્સી પર ભરવો પડી શકે છે વધારાનો 28 ટકા GST?

કેન્દ્ર સરકારે બજેટ 2022માં ક્રિપ્ટો કરન્સીમાંથી થનારા નફા પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. હવે તેને GSTની અંદર સામેલ કરવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ચર્ચા એટલા માટે ચાલુ થઇ ગઇ છે કારણ કે સરકારે ક્રિપ્ટો કરન્સીને ઘોડાદોડ અને લૉટરીની શ્રેણીમાં રાખી છે. હાલમાં ઘોડા દોડ અને લૉટરી પર 28 ટકા GST ચૂકવવો પડે છે એટલા માટે સરકાર ક્રિપ્ટો કરન્સી પર 28 ટકા GST વસૂલી શકે છે. જોકે તેમાં હાલમાં GSTને લઇને સરકાર તરફથી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
સરકારે ક્રિપ્ટોને મિલકતની કેેટગરીમાં ગણીને 30 ટકા કર લગાવ્યો છે. ક્રિપ્ટોને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના રૂપમાં પરિભાષિત કરવામાં આવી છે. આમાં ક્રિપ્ટોને ન તો સિક્યોરિટી માનવામાં આવી છે ન તો રૂપિયાની માન્યતા આપવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે જો ક્રિપ્ટોને સિક્યોરિટીઝનો દરજ્જો આપવામાં નહીં આવે તો ક્રિપ્ટોના ખરીદ-વેચાણ પર GST પણ લાગી શકે છે જેમાં શંકાને કોઇ સ્થાન નથી.
આયકર અધિનિયમ 1961 પ્રમાણે કોઇ પણ સ્ત્રોતથી પ્રાપ્ત આવક જેનો ઉલ્લેખ ટેક્સના દાયરામાં નથી કરવામાં આવ્યો તે આયકરના દાયરામાં હોય. તેમજ જો કોઈ સેવાના સપ્લાય પર કોઈ વિશેષ છૂટ આપવામાં આવી નથી, તો તેના પર GST લાગુ થઇ શકે છે. ક્રિપ્ટો કરન્સી માટે આવી કોઈ છૂટ ન હોવાથી તે GST હેઠળ પણ આવી શકે છે.
GSTની કલમ 2(75) મુજબ, નાણાંનો અર્થ ભારતીય કાનૂની ચલણ અથવા FEMA એક્ટ હેઠળ આવરી લેવામાં આવેલ વિદેશી ચલણ છે. મોટાભાગની વર્ચ્યુઅલ કરન્સી આ વ્યાખ્યા હેઠળ આવતી નથી. તેથી, તેને પૈસા તરીકે ગણી શકાય નહીં.
સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 ની કલમ 2 જણાવે છે કે સિક્યોરિટીઝનો અર્થ શેર, સ્ક્રીપ્સ, સ્ટોક્સ, બોન્