મધ્યપ્રદેશના રાયગઢમાં જૂથ અથડામણ, સરકારીકર્મી પર કર્યો હુમલો
મધ્ય પ્રદેશના રાયગઢમાં બે જુથ્થો વચ્ચે જમીન વિવાદે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. બે જુથ્થો વચ્ચેની લડાઈ બાદ આગચંપી અને તોડફોડ થઈ હતી. બુધવારે રાત્રે રાયગઢના કરેણી ગામમાં જૂથ અથડામણ થઇ હતી. હુમલાની ઘટનાથી રોષે ભરાયેલા આરોપીના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી અને મોટરસાયકલ સહિત અનેક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ટોળાએ ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને àª
મધ્ય પ્રદેશના રાયગઢમાં બે જુથ્થો વચ્ચે જમીન વિવાદે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. બે જુથ્થો વચ્ચેની લડાઈ બાદ આગચંપી અને તોડફોડ થઈ હતી.
બુધવારે રાત્રે રાયગઢના કરેણી ગામમાં જૂથ અથડામણ થઇ હતી. હુમલાની ઘટનાથી રોષે ભરાયેલા આરોપીના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી અને મોટરસાયકલ સહિત અનેક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ટોળાએ ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને પ્રશાસનની ટીમ પર પણ હુમલો કર્યો હતો. SDM અને સ્ટેશન ઈન્ચાર્જના વાહન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર જમીનને લઈને વિવાદ શરૂ થયો હતો. પહેલા કરેણી ગામના આલ્લાવેલીએ મોહન વર્મા પર હુમલો કર્યો. જે બાદ મોહન વર્માના નજીકના મિત્રોએ આલ્લાવેલીના પુત્રો પર મારપીટ શરૂ કરી દીધી હતી. ટૂંક સમયમાં જ લડાઈ હિંસામાં ફેરવાઈ ગઈ અને ટોળાએ અલાવેલીના ઘરને આગ લગાવી દીધી. આ હિંસામાં પોલીસકર્મીઓ સહિત બંને પક્ષના લોકો ઘાયલ થયા છે.
અથડામણની માહિતી મળતાં જ પોલીસ-વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ટોળાએ પોલીસ-વહીવટીતંત્રના સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ખિલચીપુરના SDM પલ્લવી વૈદ્ય, રાજગઢના મામલતદાર અને કોતવાલી પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ રાજગઢ SP પ્રદીપ શર્મા, કલેક્ટર હર્ષ દીક્ષિત, ASP મનકામના પ્રસાદ સહિત નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હિંસાને જોતા કરેણી ગામમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે.
Advertisement