Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જ્ઞાનવાપીમાં બીજું 'શિવલિંગ' ? કાશી વિશ્વનાથ મંદિરના મહંતનો દાવો

વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં થયેલા સર્વે બાદ અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. કોર્ટમાં રજૂ કરાયેલા સર્વે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવાપી સંકુલની અંદર કમળ, સાપની કુંડળી અને અનેક પ્રકારના હિંદુ ચિન્હો મળી આવ્યા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલાની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે. હવે આ મામલે વધુ સુનાવણી પહેલા કાશી વિશ્વ
02:10 PM May 22, 2022 IST | Vipul Pandya

વારાણસીના
જ્ઞાનવાપી કેમ્પસમાં થયેલા સર્વે બાદ અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે.
કોર્ટમાં રજૂ કરાયેલા સર્વે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવાપી
સંકુલની અંદર કમળ
, સાપની કુંડળી અને અનેક પ્રકારના હિંદુ
ચિન્હો મળી આવ્યા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલાની સુનાવણી
જિલ્લા ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે. હવે આ મામલે વધુ સુનાવણી પહેલા કાશી
વિશ્વનાથ મંદિરે મોટો દાવો કર્યો છે. તેઓ કહે છે કે મસ્જિદના ગ્રાઉન્ડ ફ્લોરમાં
બીજું શિવલિંગ છે.
સોમવારથી જિલ્લા
કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર અરજીઓ છે
જેની સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જિલ્લા ન્યાયાધીશે આઠ સપ્તાહમાં
જ્ઞાનવાપી વિવાદ પર ચુકાદો સંભળાવવાનો છે. આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરના મહંતે
દાવો કર્યો છે કે અહીં બીજું શિવલિંગ છે.
154 વર્ષ જૂની તસવીર બતાવતા તેમણે કહ્યું કે લોકો ભગવાન નંદીની પાસે
બેસતા હતા. તેની પાસે એક દરવાજો હતો જ્યાં શિવલિંગ છે. તે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે.


કાશી વિશ્વનાથ
મંદિરના મહંત ડૉ.વીસી તિવારીએ માંગ કરી છે કે શિવલિંગની પૂજા માટે પરવાનગી આપવામાં
આવે. તેમણે કહ્યું કે
, શિવલિંગની પૂજા કરવાની જવાબદારી
મહંતની છે. હું વિશ્વાસ સાથે દાવો કરું છું કે નીચે એક શિવલિંગ છે. નીચેના
શિવલિંગની પૂજા
1992 થી બંધ છે, તેને શરૂ કરવી જોઈએ. હું એમ નથી કહેતો કે ભક્તોને જવા દેવા જોઈએ.
પરંતુ અમારે પૂજા માટે પરવાનગી મળવી જોઈએ જેના માટે હું અરજી કરી રહ્યો છું.


આ મામલે બનારસના
મુફ્તી અબ્દુલ્લા બતિન નોમાનીએ કહ્યું કે
, આ શિવલિંગ એક ફુવારો છે. ફુવારો ત્યાં હતો અને તે ઉપયોગમાં હતો.
આજે પણ એ ફુવારાને ફરતો જોવા લોકો હાજર છે. તેઓ સાક્ષી આપી શકે છે. આ સર્વેમાં
સામેલ ફોટોગ્રાફરે એમ પણ જણાવ્યું કે જે કૂવો હતો તે વઝુખાનામાં ડૂબી ગયો હતો. તો
તે ફુવારો કેવી રીતે હોઈ શકે
? કયો ફુવારો એક ફૂટથી વધુ પાણીમાં ડૂબી શકે છે અને પછી પાણીને ઉપર
ફેંકી શકે છે
?

Tags :
GujaratFirstGyanvapiKashiVishwanathtemplemahantShivling
Next Article