Amreli Letter Kand : તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડમાં (Amreli Latter Kand) પાટીદાર યુવતી સામે પોલીસની કાર્યવાહી બાદ મામલો ખૂબ જ બિચક્યો છે. એક તરફ કોંગ્રેસ (Congress) નેતાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને દીકરીને ન્યાય અપાવવા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાની માગ કરાઈ રહી છે.
Advertisement
Amreli Letter Kand : અમરેલી લેટરકાંડમાં (Amreli Latter Kand) પાટીદાર યુવતી સામે પોલીસની કાર્યવાહી બાદ મામલો ખૂબ જ બિચક્યો છે. એક તરફ કોંગ્રેસ (Congress) નેતાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને દીકરીને ન્યાય અપાવવા અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં લેવાની માગ કરાઈ રહી છે. ત્યારે બીજી તરફ હવે આ મામલે આગળની તપાસ હવે સ્ટેટ મોનિટરીંગ સેલના વડાને સોંપવામાં આવી છે. માહિતી અનુસાર, અમરેલી લેટરકાંડ મામલે હવે IPS નિર્લિપ્ત રાય (IPS Nirlipt Rai) તપાસ કરશે. જણાવી દઈએ કે, ગઈકાલે અમરેલી SP સંજય ખરાતે (Sanjay Khara) મોટી કાર્યવાહી કરીને એક મહિલા સહિત 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા. કિશન આસોદરિયા, વરજાંગ મૂળયાસિયા અને હિના મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Advertisement