Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

11 એપ્રિલથી શરુ થશે અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન, જાણો કઈ રીતે કરવું રજીસ્ટ્રેશન

આગામી સપ્તાહથી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સીઈઓ નીતીશ્વર કુમારે ગુરુવારે કહ્યું કે  હતું કે કોવિડ-19ને કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ વાર્ષિક અમરનાથ યાત્રા 2022 30 જૂને શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આવતા અઠવાડિયે 11 એપ્રિલથી શરૂ થશે.આ રીતે કરી શકાશે રજીસ્ટ્રેશન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે અમàª
07:24 AM Apr 08, 2022 IST | Vipul Pandya
આગામી સપ્તાહથી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સીઈઓ નીતીશ્વર કુમારે ગુરુવારે કહ્યું કે  હતું કે કોવિડ-19ને કારણે બે વર્ષ સુધી બંધ રહ્યા બાદ વાર્ષિક અમરનાથ યાત્રા 2022 30 જૂને શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આવતા અઠવાડિયે 11 એપ્રિલથી શરૂ થશે.
આ રીતે કરી શકાશે રજીસ્ટ્રેશન 
બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે અમરનાથ યાત્રા 2022 30 જૂનથી શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 11 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે. યાત્રાળુઓ શ્રાઈન બોર્ડની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં એક યાત્રી નિવાસ બનાવવામાં આવ્યો છે, જેમાં 3000 શ્રદ્ધાળુઓને સમાવી શકાય છે. બોર્ડનો અંદાજો છે કે, આ વર્ષે સરેરાશ ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લેશે.
વીમા કવચ વધારવામાં આવ્યું 
તીર્થયાત્રીઓને RFID આપવામાં આવશે જેના દ્વારા શ્રાઈન બોર્ડ યાત્રાળુઓને ટ્રેક કરી શકશે. ઓપરેટરો માટે વીમા કવરેજનો સમય એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ વર્ષે યાત્રાળુઓ માટેનું વીમા કવચ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવ્યું છે. તમામ હિંદુ દેવતાઓમાં, ભગવાન શિવની પૂજા માત્ર ભારતીયો દ્વારા જ નહીં પરંતુ અન્ય દેશોના લોકો દ્વારા પણ કરવામાં આવે છે. તેમના આદરણીય ભગવાનની નજીક જવા માટે, લાખો ભક્તો દર વર્ષે ઉનાળાના મહિનાઓમાં દક્ષિણ કાશ્મીરમાં શ્રી અમરનાથજી મંદિર સુધી પર્વતોમાંથી મુસાફરી કરે છે.
આ કારણોથી યાત્રા હતી બંધ 
કોરોના મહામારીના પગલે 2020 અને 2021માં અમરનાથ યાત્રા થઈ શકી નથી. વર્ષ 2019માં  કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો હતો, રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું. આ પગલે 5 ઓગસ્ટના થોડા દિવસો પહેલા અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.  
Tags :
AmarnathAmarnathYatracovidGujaratFirstJammuKashmirKashmirYatra
Next Article