પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નોત્સવ 10 ફેબ્રુઆરીએ ઉજવાશે
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત (Gujarat) અને રાજસ્થાનની (Rajasthan) સરહદ ઉપર આવેલું છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) બ્રાહ્મણોની 900 ઘરની વસ્તી ધરાવતું અંબાજી ગામમાં પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગનોત્સવ આયોજિત કરેલ છે. ગત 10 વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ આ વખતે 11 મા સમૂહ જનોઈ તથા લગ્નોત્સવનુ આયોજન કરેલ છે.
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત (Gujarat) અને રાજસ્થાનની (Rajasthan) સરહદ ઉપર આવેલું છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) બ્રાહ્મણોની 900 ઘરની વસ્તી ધરાવતું અંબાજી ગામમાં પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગનોત્સવ આયોજિત કરેલ છે. ગત 10 વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ આ વખતે 11 મા સમૂહ જનોઈ તથા લગ્નોત્સવનુ આયોજન કરેલ છે.
અંબાજી GMDC ખાતે યોજાશે
11માં પ્રસંગમાં 55 બટુકોને સમૂહ જનોઈ અને 8 યુગલો પોતાની સફળ જિંદગી માટે પ્રભુતામાં પગલા માંડશે. આ પ્રસંગે અંબાજી સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન પંડિતો સહિત શ્રી યાજ્ઞીક વિપ્ર મંડળ ના શાસ્ત્રીઓ દ્વારા તમામને હિન્દુ વિધિ પ્રમાણે પ્રસંગને સફળ બનાવશે. આ સમગ્ર પ્રસંગ અંબાજી જીએમડીસી ખાતે યોજાશે.આ સમૂહ લગ્નોત્સવ માં યુગલોને મોટાભાગની તમામ ઘરવખરી ની સામગ્રી દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનું પણ વિતરણ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મ ભોજન તથા શોભાયાત્રા પણ યોજાશે.
વિવિધ કાર્યક્રમો
દાન - દાતાઓ દ્રારા આ કાર્યક્રમને શોભાવશે. અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડમાં 10 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ સવારે 10:00 કલાકે મહેમાનોનું સ્વાગત કરીને શરૂ થશે જેમા બપોરે 12:39 કલાકે નવદંપતી ના હસ્ત મેળાપ અને સાંજે 4:35 એ સુધી કન્યાવિદાય નો પ્રસંગ પણ ઉજવાશે અને બટુકોને યજ્ઞોપવિત ત્રણ કલાકે બટુક શોભાયાત્રા સ્વરૂપે યોજાશે .આ પ્રસંગે ચોળક્રિયા પણ અંબાજી ના નાઈ સમાજ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે અંબાજીના બ્રાહ્મણ સમાજના બાળકો હાલમા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ યુવાનોને અને દાન - દાતાઓઓનું સન્માન કરવામાં આવશે.
આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી
અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે સાંજે ચાર વાગે પરશુરામ પરિવાર ના પ્રમુખ દિનેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં આવેલા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. આજે અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડમાં પરશુરામ પરિવાર અંબાજી નગર આયોજિત યજ્ઞોપવિત તથા સમૂહ લગ્નોત્સવ અંબાજી ખાતે 10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, સંપૂર્ણ માહિતી આજરોજ પત્રકારોને આપવામાં આવી હતી. દુષ્યંતભાઈ આચાર્ય, બકુલેશભાઈ શુકલ, દેવેન્દ્રભાઈ વ્યાસ, હેમંતભાઈ દવે, માણેક ભાઈ જોશી સહિત વિવિધ પરશુરામ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement