Arvind Kejriwal Delhi Election 2025 Update: ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીમાં 24 કલાક મળશે પાણી
- અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ
- કેજરીવાલે આપ્યુ 24 કલાક પાણી પૂરું પાડવાનું વચન
- AAP પહેલા દિલ્હીમાં ટેન્કર માફિયાનું શાસન
- ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ચૂંટણી યોજાવાની સંભાવના
- કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કર્યો
Arvind Kejriwal Delhi Election 2025 Update: દિલ્હીના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ કેજરીવાલે દિલ્હીના લોકોને 24 કલાક પાણી પૂરું પાડવાનું વચન આપ્યું છે. જેના કારણે દિલ્હીમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ સીએમ કેજરીવાલે ઘણી મોટી જાહેરાતો કરી છે. અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીના લોકોને ઘણી ભેટો આપવાનું વચન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે, ટૂંક સમયમાં દિલ્હીમાં પાણીનો પુરવઠો 24 કલાક કરવામાં આવશે.
પાણી પુરવઠો 24 કલાક ઉપલબ્ધ રહેશે
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં વગર પંપે 24 કલાક પાણી આવવું જોઈએ. આજે આ સપનું પૂરું થયું છે. આજે મેં લોકોના ઘરે જઈને પાણી પીધું છે. પાણી એકદમ સાફ છે. દિલ્હીમાં અત્યારે 24 કલાક પાણી મળતું નથી, પરંતુ હવેથી ચોક્કસપણે મળશે.
AAP પહેલા દિલ્હીમાં ટેન્કર માફિયાનું શાસન
રાજેન્દ્ર નગરમાં આજથી 24 કલાક પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી પહેલા દિલ્હીમાં ટેન્કર માફિયાનું શાસન હતું. દિલ્હીમાં 24 કલાક પાણી પુરવઠાનું કામ 2020માં જ પૂરું થઈ ગયું હોત, પરંતુ પહેલા કોરોના વાયરસ આવ્યો અને પછી મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. પરંતુ હવે સમગ્ર દિલ્હીને 24 કલાક શુદ્ધ પાણી મળશે.
Rajender Nagar में Direct नल से साफ़ पानी पीने के बाद क्या बोले @ArvindKejriwal जी? Latest Speech https://t.co/ntL2IWSQq8
— AAP (@AamAadmiParty) December 24, 2024
કેજરીવાલે જાતે નળમાંથી પાણી પીધું
આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પોતે રાજેન્દ્ર નગર જઈ નળમાંથી પાણી પીધું હતું. તેઓ કહે છે કે, પાણી એકદમ સ્વચ્છ છે. હવે સમગ્ર દિલ્હીને 24 કલાક નળનું પાણી મળશે. અરવિંદ કેજરીવાલની આ જાહેરાત દરમિયાન તેમની સાથે સીએમ આતિશી માર્લેના પણ હાજર હતા.
हमने वादा किया था कि दिल्ली के हर घर में 24 घंटे साफ़ पानी पहुँचाएंगे। यह बताते हुए खुशी हो रही है कि इसकी शुरुआत हो चुकी है।
राजेंद्र नगर विधानसभा में जाकर मैंने ख़ुद टोंटी से पानी पिया, पानी एकदम साफ़-सुथरा है।
अब पूरी दिल्ली को नल से 24 घंटे साफ़ पानी मिलेगा। pic.twitter.com/aRF6OniRuU
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 24, 2024
ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના
આ પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કરતા અરવિંદ કેજરીવાલે લખ્યું કે, અરવિંદ કેજરીવાલ માત્ર નિવેદનો જ નથી આપતા. કેજરીવાલ જે કહે છે તે કરે છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પહેલા અરવિંદ કેજરીવાલે રાજધાનીની મોટાભાગની સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ફેબ્રુઆરીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે.
આ પણ વાંચો: મોંઘવારીનું સાચું ચિત્ર બતાવતા રાહુલ ગાંધી પહોંચ્યા શાકમાર્કેટ