Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેહવ્યાપાર માટે બદનામ વાડિયાની યુવતીએ 12માં ધોરણમાં 60 ટકા મેળવ્યા

તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં દેહવ્યાપાર માટે બદનામ થયેલા બનાસકાંઠા જીલ્લાની વાડિયા ગામની યુવતીએ 60 ટકા મેળવી અનેરી સિદ્ધી પ્રાપ્ત કરી છે. વિકાસના રોલ મોડેલ ગણાતા ગુજરાતનું એક એવું કડવું સત્ય બનાસકાંઠાનું વાડિયા ગામ પણ છે. અહીં છોકરીઓને તેમનો પરિવાર જ દેહવ્યાપાર કરવા ધકેલે છે અને હવે તો આ વારસાગત બની ગયું છે, પણ હવે અહીં યુવતીઓ અભ્યાસના માર્ગે પણ વળી છે. આઝાદીના આટલા
દેહવ્યાપાર માટે બદનામ વાડિયાની યુવતીએ 12માં ધોરણમાં 60 ટકા મેળવ્યા
તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં દેહવ્યાપાર માટે બદનામ થયેલા બનાસકાંઠા જીલ્લાની વાડિયા ગામની યુવતીએ 60 ટકા મેળવી અનેરી સિદ્ધી પ્રાપ્ત કરી છે. વિકાસના રોલ મોડેલ ગણાતા ગુજરાતનું એક એવું કડવું સત્ય બનાસકાંઠાનું વાડિયા ગામ પણ છે. અહીં છોકરીઓને તેમનો પરિવાર જ દેહવ્યાપાર કરવા ધકેલે છે અને હવે તો આ વારસાગત બની ગયું છે, પણ હવે અહીં યુવતીઓ અભ્યાસના માર્ગે પણ વળી છે. આઝાદીના આટલા વર્ષો બાદ વાડિયાની દીકરીઓની પહેલી પેઢીએ 12મું ધોરણ પાસ કર્યું છે. માત્ર પાસ જ નહીં પણ 60 ટકા મેળવીને એ છોકરીએ સાબિત કરી બતાવ્યું છે કે કાળી અંધારી રાત વચ્ચે પણ અભ્યાસથી બધું બદલાઇ શકે છે.
વાડિયા માટે સુખનો સુરજ એટલે રીના (નામ બદલ્યું છે). રીનાએ નાની ઉંમરે મા-બાપની છત્ર છાયા ગુમાવી હતી. રીના પણ ભટકી જ જવાની હતી પણ ત્યાં શારદાબેન જેવા સમાજસેવિકાએ રીનાનો હાથ પકડી લીધો. રીનાની મા તો રીનાને શારદાબેનના ખોળા મૂકીને ચાલ્યાં ગયાં, પણ રીના માટે સામાન્ય જીવન શક્ય નહોતું. શારદાબેન જેવા દેવદૂતને લીધે રીનાના નસીબમાં ભણવાનું લખ્યું હશે. એટલે શારદાબેનની છત્રછાયા હેઠળ રીના પાલનપુરમાં ભણી અને તાજેતરમાં 12મું ધોરણ પાસ કર્યુ. વાડિયામાં શારદાબેને સતત 25 વર્ષથી મહિલાઓ માટે કામ કર્યું, જેના ફળ સ્વરૂપ આજે રીનાનું પરિણામ આવ્યું છે. રીનાની સિદ્ધી પાછળ શારદાબેનનો સૌથી મોટો હાથ રહ્યો છે. 
આ એ જ શારદાબેન છે, જેમણે વાડિયામાં ચાલી આવતી દેહવ્યાપારની પરંપરાગત બદીમાંથી સ્ત્રીઓને ઉગારવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે અને સોનું-ચાંદી ન પહેરવાની નેમ લીધી છે. આજે રીનાને ઉગારીને શારદાબેને માનવતાની મિસાલ ઉભી કરી છે, એટલે જ વાડિયામાં દેહવ્યાપારની કાળી રાતો વચ્ચે હવે સુખની સવાર પડી છે. દેહવ્યાપારમાં દલાલોના આંકડાઓ વચ્ચે આજે દીકરીઓ અભ્યાસના આંકડા ગણતી થઈ છે. જેનો સૌથી મોટો શ્રેય શારદાબેનને જાય છે. સાથે એમની દીકરીએ પણ માતાના પદચિન્હો પર ચાલી છોકરીઓને ભણાવવાનું કામ ઉપાડી લીધું છે. વાડિયામાં આમ તો સ્ત્રીઓની પરિસ્થિતિ બહુ ખરાબ છે, પણ શારદાબેન અને એમની દીકરી માનસીએ છોકરીઓને દલાલોના હાથમાંથી છોડાવી સારૂ અને સ્વતંત્ર જીવન જીવવા માટે સહારો આપ્યો છે. વાડિયા ગામમાં જવું હોય તો આજે પણ પોલીસ નહિ શારદાબેનની મદદ લેવી પડે છે. વડિયાના દરેક નાના મોટા કામોમાં શારદાબેનનું નામ પહેલા હોય છે.
રીનાનું 12મું ધોરણ પાસ કરવું એટલા માટે મહત્વનું છે કેમ કે અહીં છોકરી જન્મે પછી એના નસીબમાં દેહવ્યાપાર જ ઘૂંટાઇ જાય છે. જોકે હવે રીનાએ એનો છેદ ઉડાડી દીધો છે. રીનાએ પોતાની સિદ્ધિ વિશે કહ્યું કે, મારે IPS બનવું છે, લોકસેવાનું કામ કરી શારદાબેનના બધા કામ પૂર્ણ કરવા છે. વાડિયાના દેહવ્યાપારના દાવાનળમાંથી દીકરીઓને બહાર કાઢવી છે. શારદાબેન કહે છે કે, મારી દીકરી રીનાએ મારી 25 વર્ષની મહેનત સાર્થક કરી. વાડિયાની દિકરીઓ માટે રીના એક ઉદાહરણ સાબિત થશે. કેટલીય દિકરીઓ હવે અભ્યાસ માટે આગળ આવશે. હવે આવી 10 રીના મારે તૈયાર કરવી છે. ભણતર દ્વારા જ દરેક પેઢીનો ઉદ્ધાર થઈ શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.