અતિકની હત્યા પર બોલ્યા તોગડિયા, હવે બીજો કોઇ ઓરંગજેબ પેદા નહીં થાય
ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ યુપીમાં ગેંગસ્ટરની હત્યા પ્રકરણ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે હવે હિન્દુઓ અસુરક્ષિત હોવાનો અનુભવ ન કરતા હોવાનું પણ કહ્યું સાથે જ યુપીની સરકાર સમગ્ર ઘટનાને બહાર લાવશે તેવું પણ તેઓએ ઉમેર્યું હતું
અતિકની હત્યા મુદ્દે તોગડિયાએ કરી વાત
ભરૂચ તાલુકાના તવરા ગામે એ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સર્વેસર્વા પ્રવીણ તોગડીયા ભરૂચમાં આવ્યા હતા અને તેઓનું ઝાડેશ્વર ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરીને તેઓને તવરા ગામ ખાતે લઈ જવામાં આવ્યા હતા ઝાડેશ્વર ચોકડી નજીક તેઓના સ્વાગતમાં તેઓએ યુપીમાં થયેલી ગેંગસ્ટર અતીક અહેમદ અને ભાઈની પોલીસની હાજરીમાં થયેલી હત્યા મુદ્દે વાત કરી હતી..
ઓરગઝેબ હવે કોઈ બીજો પેદા નહીં થાય- પ્રવિણ તોગડિયા
તેઓએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે ઓરગઝેબ હવે કોઈ બીજો પેદા નહીં થાય અને સમગ્ર ઘટનામાં યુપી સરકાર સમગ્ર વિગતો સામે લાવશે તેવું જણાવ્યું હતું. સાથે જ તેઓએ કહ્યું કે હિન્દુઓ અસુરક્ષિત હોવાનો અનુભવ કરતા નથી. પ્રવીણ તોગડીયાએ તેઓના હોદ્દેદારોના ઘરે પણ શુભેચ્છા મુલાકાતો કરી હતી