Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસના સજ્જન કુમારને આજીવન કેદની સજા, 1984નાં શીખ વિરોધી રમખાણોમાં હત્યાનો કેસ

દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.
કોંગ્રેસના સજ્જન કુમારને આજીવન કેદની સજા  1984નાં શીખ વિરોધી રમખાણોમાં હત્યાનો કેસ
Advertisement
  • દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસ કોર્ટનો નિર્ણય
  • રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એ ચુકાદો સંભળાવ્યો
  • કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો

દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.

Advertisement

પીડિત પક્ષે સજ્જન કુમાર માટે મૃત્યુદંડની માગ કરી હતી. સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે.

Advertisement

આ સમયગાળા દરમિયાન સજ્જન આઉટર દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા. તે હાલમાં રમખાણો સંબંધિત બીજા કેસમાં તિહાર જેલમાં બંધ છે અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

Advertisement

પહેલા ત્રણ વખત મુલતવી રહ્યો છે નિર્ણય

31 જાન્યુઆરી, 2025એ થયેલી સુનાવણીમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમાર પરનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. અગાઉ, 8 જાન્યુઆરી અને 16 ડિસેમ્બર, 2024એ પણ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. બંને વખત તિહારમાં બંધ સજ્જન કુમાર વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં હાજર થયા હતા.

ડિસેમ્બર 2021માં સજ્જન કુમારે કહ્યું હતું કે તેઓ આ કેસમાં નિર્દોષ છે અને ટ્રાયલનો સામનો કરશે. આ કેસમાં સજ્જન કુમારને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ પછી, તેમની સામે આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: UK Scholarship For Indians : ભારતીયોને મળી રહી છે લાખોની શિષ્યવૃત્તિ, જાણો શું છે શરતો

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

featured-img
રાષ્ટ્રીય

Tirupati Temple: હિન્દુઓ સિવાય કોઇ નહી કરે કામ,ચંદ્રબાબુ નાયડુનું નિવેદન

Trending News

.

×