Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDI ગઠબંધનમાં સીટ શેરિંગ બાદ કકળાટ! કોંગ્રેસમાં નારાજગી વધી

Congress-AAP Seat-Sharing : મહત્વકાંક્ષા કેટલી હદે તમને કેટલી પરેશાન કરી શકે છે તેનું તાજુ ઉદાહરણ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) ના ગઠબંધન બાદ જોવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે, ત્યારે આજે કોંગ્રેસ અને આમ...
indi ગઠબંધનમાં સીટ શેરિંગ બાદ કકળાટ  કોંગ્રેસમાં નારાજગી વધી

Congress-AAP Seat-Sharing : મહત્વકાંક્ષા કેટલી હદે તમને કેટલી પરેશાન કરી શકે છે તેનું તાજુ ઉદાહરણ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) ના ગઠબંધન બાદ જોવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે, ત્યારે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ (Press Conference) કરી ભરૂચ અને ભાવનગર (Bharuch and Bhavnagar) બેઠક માટે ઉમેદવારો (Candidate) ની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ INDI ગઠબંધન (Indi Alliance) માં કકળાટ શરૂ થઇ ગયો છે. જ્યા એક તરફ ભરૂચ બેઠક (Bharuch Seat) ને લઇને દિવંગત અહેમદ પટેલના સંતાન મુમતાઝ પટેલ (Mumtaz Patel) અને ફૈઝલ પટેલ (Faisal Patel) નારાજ છે ત્યા બીજી તરફ UP માં પણ કઇંક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

Advertisement

દિવંગત અહેમદ પટેલના સંતાન બાદ કોંગ્રેસના વધુ એક નેતા નારાજ

એક તરફ જ્યા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2 લોકસભાની બેઠકો માટે એકસાથે આવી છે, જ્યારે પંજાબમાં બંને પક્ષ અલગ-અલગ ચૂંટણી લડવાના છે. ગુજરાતમાં જે બે સીટો માટે ગઠબંધન થયા બાદ દિવંગત અહેમદ પટેલના સંતાનો (મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ) નારાજ છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદ પણ નારાજ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ પાર્ટી સામે બળવો કરવાની તૈયારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ નારાજ છે કે ફર્રુખાબાદ લોકસભા સીટ જેમાંથી તેઓ ચૂંટણી લડે છે તે સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ સમાજવાદી પાર્ટીને આપવામાં આવી છે. સમાજવાદી પાર્ટીએ પણ આ બેઠક પરથી નવલ કિશોર શાક્યને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે બુધવારે 'INDI' ગઠબંધન હેઠળ રાજ્યમાં સીટ વહેંચણીની ઔપચારિક જાહેરાત કરી હતી, જે અંતર્ગત રાજ્યની 80 સીટોમાંથી કોંગ્રેસ રાયબરેલી અને અમેઠી સહિત 17 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે.

Advertisement

સલમાન ખુર્શીદે નારાજગી વ્યક્ત કરી

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ ગયું છે. ગઠબંધનની જાહેરાત સાથે જ કોંગ્રેસની અંદરનો વિખવાદ પણ સામે આવ્યો છે. જણાવી દઇએ કે, ફરૂખાબાદ લોકસભા સીટ સમાજવાદી પાર્ટીમાં જવાથી નારાજ સલમાન ખુર્શીદે 'X' પર કંઈક લખ્યું, જેના પછી તેમના બળવાની અટકળો શરૂ થઈ ગઈ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હું તૂટી શકું છું, પણ ઝૂકીશ નહી. ખુર્શીદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, 'ફર્રુખાબાદ સાથેના મારા સંબંધોને કેટલી કસોટીનો સામનો કરવો પડશે? પ્રશ્ન મારા વિશે નથી, પરંતુ આપણા બધાના ભવિષ્યનો છે, આવનારી પેઢીઓનો છે. ભાગ્યના નિર્ણયો સામે ક્યારેય ઝૂક્યા નથી. હું તૂટી શકું છું, પણ ઝૂકીશ નહી. તમે મને સમર્થન આપવાનું વચન આપો, હું ગીતો ગાતો રહીશ.’ રાજકીય પંડિતોનું માનવું છે કે સલમાન ખુર્શીદ આગામી લોકસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી શકે છે.

સલમાન ખુર્શીદ 1991માં પહેલીવાર જીત્યા હતા

વર્ષ 1991માં પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. 1996 અને 1998માં સ્વામી સચ્ચિદાનંદ હરિ સાક્ષી મહારાજ ભાજપ તરફથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ 1999 અને 2004માં સમાજવાદી પાર્ટીના ચંદ્રભૂષણ સિંહ ઉર્ફે મુન્નુ ભૈયાની જીત થઈ હતી. 2009ની ચૂંટણીમાં સલમાન ખુર્શીદ ફરી એકવાર કોંગ્રેસમાંથી જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી મુકેશ રાજપૂત 20 વર્ષ બાદ ફરુખાબાદ સીટ જીતવામાં સફળ રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Lok Sabha Election : ગુજરાતમાં કાચીંડાની જેમ રંગ બદલતી AAP

આ પણ વાંચો - આ શાળામાં એકસાથે ૬૦ થી વધારે વિધાર્થીઓને આખા શરીરે ખંજવાળ ઉપડી અને પછી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.