Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Padminiba : પદ્મિનીબાના ગંભીર આક્ષેપ, રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ઉઠાવ્યા આ સવાલ!

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ મોટા સમાચાર આવ્યા છે. ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ (Padmini Ba) રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે...
padminiba   પદ્મિનીબાના ગંભીર આક્ષેપ  રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ઉઠાવ્યા આ સવાલ

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ મોટા સમાચાર આવ્યા છે. ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ (Padmini Ba) રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, આંદોલન કોઇ ફિલ્મ છે કે તેના પાર્ટ વન અને પાર્ટ ટુ હોય ? પાર્ટ ટુ લાવવાનો હતો તે પાર્ટ વનમાં શું કર્યું એ જાહેર કરો. તેમણે કહ્યું કે, જયચંદોના કારણે આંદોલન નબળું પડ્યું છે. હવે આંદોલન પક્ષોમાં ફેરવાઈ ગયું છે.

Advertisement

જયચંદોના કારણે આંદોલન નબળું પડી ગયું છે : પદ્મિની બા

ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) આંદોલનને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજપૂત સમાજની સંકલન સમિતિ (Kshatriya Samaj Sankalan Samiti) પર ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબાએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, આખા ક્ષત્રિય સમાજને ગુમરાહ કર્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, આંદોલન હવે ભાજપ-કોંગ્રેસમાં (BJP-Congress) ફેરવાઈ ગયું છે. હવે આમાં બેન-દીકરીઓનું કાંઈ જ રહ્યું નથી. હવે આંદોલનમાં રાજકારણ આવી ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ક્ષત્રિય સમાજનું આંદોલન જયચંદોના કારણે નબળું પડી ગયું છે. પરશોત્તમ રૂપાલાને (Parshottam Rupala) 16 તારીખે ફોર્મ નહોતું જ ભરવા દેવાનું હતું. પરંતુ, એવું ન થયું, હવે કાયદા-કલમો કડક થઈ છે.

Advertisement

'આંદોલન કોઇ ફિલ્મ છે કે તેના પાર્ટ વન અને પાર્ટ ટુ હોય?'

પદ્મિનીબાએ (Padmini Ba) આગળ કહ્યું કે, 300 ફોર્મ ભરાવની જાહેરાત તૃપ્તિ બાએ (Tripti Baa) કરી હતી પરંતુ, હવે કેટલા ફોર્મ ભર્યાં એ કહે. સાથે તેમણે સમાજની સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આંદોલન કોઇ ફિલ્મ છે કે તેના પાર્ટ વન અને પાર્ટ ટુ હોય? પાર્ટ ટુ લાવવાનો હતો તે પાર્ટ વનમાં શું કર્યું એ જાહેર કરો. જણાવી દઈએ કે, સંકલન સમિતિની બેઠકમાં આમંત્રણ વિના પદ્મિની વાળા પહોંચી ગયા હતા. આ પહેલા તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, સંકલન સમિતિ ગમે ત્યારે મિટિંગ બોલાવે છે. બારોબાર સંકલન સમિતિની બેઠક મળે છે તેમાં અમને બોલાવવામાં આવતા નથી. આંદોલનની શરૂઆત અમે કરી અને અમને જ આમંત્રણ નથી મળતું. હવેથી મળનારી દરેક બેઠકમાં અમારી હાજરી હોવી જોઈએ.

આ પણ વાંચો - Rajkot : પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ, સમજાવટ બાદ પારણા કર્યા, જાણો હવે કેવી છે સ્થિતિ?

Advertisement

આ પણ વાંચો - પરશોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર, પદ્મિની બાના બદલાયા સૂર

આ પણ વાંચો - RUPALA : આ પાટીદાર નેતાનો સનસનીખેજ આરોપ, વાંચો અહેવાલ….

Tags :
Advertisement

.