Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nitin Desai Suicide : આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ પર 180 કરોડનું દેવું, આત્મહત્યા કરવાનું કારણ આવ્યું સામે!

હિન્દી ફિલ્મોના સેટ પર પોતાની કળાનો ઉપયોગ કરીને આકર્ષણ જમાવનાર પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા કરીને સૌને ચોંકાવી દીધા છે. તેણે બુધવારે સવારે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. નીતિન દેસાઈએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા....
nitin desai suicide   આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ પર 180 કરોડનું દેવું  આત્મહત્યા કરવાનું કારણ આવ્યું સામે
Advertisement

હિન્દી ફિલ્મોના સેટ પર પોતાની કળાનો ઉપયોગ કરીને આકર્ષણ જમાવનાર પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા કરીને સૌને ચોંકાવી દીધા છે. તેણે બુધવારે સવારે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. નીતિન દેસાઈએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. તેમના મૃત્યુથી ચાહકો અને સેલેબ્સની આંખો ભીની થઈ ગઈ. હવે નીતિનના મોતને લઈને એક મોટી માહિતી સામે આવી છે. જાણવા મળ્યું છે કે નીતિન પર કરોડોનું દેવું હતું.

Advertisement

નીતિન પર 180 કરોડનું દેવું હતું

કહેવામાં આવી રહ્યું છે કે નીતિન દેસાઈ આર્થિક તંગીથી પરેશાન હતા અને તેથી જ તેમણે મોતને ભેટી હતી. હવે તેમની આત્મહત્યા અંગે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નવી માહિતી અનુસાર, નીતિને એક ફાઇનાન્સ કંપની પાસેથી 180 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને તે મોટા દેવાના બોજ હેઠળ દબાયેલો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નિતિને તેની જમીન અને અન્ય મિલકતો ગીરો રાખી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ કલેક્ટરને પત્ર લખીને વસુલાતની દરખાસ્ત પણ કરી હતી.

Advertisement

FWICE ના પ્રમુખ BN તિવારીએ નીતિન દેસાઈની આત્મહત્યા અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે . તેણે કહ્યું- લગભગ ત્રણ મહિના પહેલા મેં નીતિન સાથે છેલ્લી વખત વાત કરી હતી. તેના સ્ટુડિયોમાં લગભગ 150 લોકો કામ કરતા હતા. તેમણે કર્મચારીઓને માસિક પેમેન્ટ પર રાખ્યા હતા. જ્યારે અમે મળ્યા ત્યારે ખબર પડી કે તેના પર મોટો ખર્ચ થયો છે. અગાઉ પણ તેમને બેંક તરફથી ઘણી સમસ્યાઓ આવી હતી. તેમણે એનડી સ્ટુડિયોની સ્થાપનામાં ઘણા પૈસા લગાવ્યા હતા. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેમનો સ્ટુડિયો ચાલતો ન હતો. કોવિડથી તે સતત ખોટમાં હતો. આટલી મોટી પ્રોપર્ટી, જ્યાં 10-15 સ્ટેજ હોય ​​ત્યાં એક-બે શૂટિંગ નહીં ચાલે.

Advertisement

એનડી સ્ટુડિયો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેમનું આયોજન પણ અદ્યતન સ્તરે હતું. જો કે તેણે આ માટે ઘણો ખર્ચ કર્યો હતો, જેનું વળતર શક્ય નહોતું. કેટલાક સમયથી ત્યાં માત્ર સલમાન ખાનની ફિલ્મોનું જ શૂટિંગ થતું હતું. કર્જત થોડે દૂર રહેતી. આવી સ્થિતિમાં ઘણા પ્રોડક્શન હાઉસ ત્યાં જવા માંગતા ન હતા. ત્યાં સ્ટુડિયોમાં 15 સેટ છે. બધા જ લાર્જર ધેન લાઈફ છે. તેમની સ્થાપનામાં ઘણો ખર્ચ થયો હતો. સેટ પર કોઈ વસ્તુની કમી ન હતી, જે આર્થિક ફાયદો થવાનો હતો તે થઈ રહ્યો ન હતો, તેથી તે સતત ખોટમાં જઈ રહ્યો હતો. તેના પર લગભગ કરોડોનું દેવું હશે. થોડા સમય પહેલા તેણે તેની પુત્રીના લગ્ન કર્યા હતા. અમારી વાતમાં તેણે કહ્યું હતું કે ફાયનાન્સર મળવો જરૂરી છે, નહીં તો દેવું વધી જશે.

ND સ્ટુડિયોમાં ફાંસી

આશ્ચર્યની વાત એ છે કે નીતિન દેસાઈએ પોતાના જ પ્રખ્યાત એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે 10 વાગ્યે નીતિન દેસાઈ પોતાના રૂમમાં ગયો હતો. આજે સવારે તે ઘણા સમય સુધી બહાર આવ્યો ન હતો. ત્યારબાદ તેના બોડીગાર્ડ અને અન્ય લોકોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. બારીમાંથી જોયું તો નીતિન દેસાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

કોણ હતા નીતિન દેસાઈ?

નીતિન દેસાઈ 57 વર્ષના હતા અને 9મી ઓગસ્ટે તેઓ તેમનો 58મો જન્મદિવસ ઉજવવાના હતા. પરંતુ તેના જન્મદિવસના થોડા દિવસો પહેલા જ આર્થિક સંકડામણના કારણે તેણે આપઘાત કરી લીધો હતો. સિનેમાની દુનિયામાં નીતિન દેસાઈનું યોગદાન પ્રશંસનીય હતું. તેણે હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજુ ચાચા, દેવદાસ, જોધા અકબર, લગાન, બાજીરાવ મસ્તાની સહિત અનેક સુપરહિટ હિન્દી અને મરાઠી ફિલ્મોના અદભૂત સેટ ડિઝાઇન કર્યા હતા.

આ પણ વાંચો : હિન્દી ફિલ્મ જગતની બેજોડ જોડી – મહમ્મદ રફી અને આર. ડી. બરમન

Tags :
Advertisement

Trending News

.

×